________________
(૧૭૯) છું, કારણ છું, કાર્યamત મુજથી ભિન્ન નથી. તેથી જ તો હું ‘સર્વાત્મા છું. સૌનો અંતરાત્મા છું. “સૂવેળા વ શરીરો અનેક છતાં એક. જેમ અનેક મણકાંમાં સૂત્ર એક છે. હું સર્વરૂપ છું “સર્વર ઉપાધિથી હું કારણ છે. અભિન્નનિમિત્ત ઉપાદાનકરણ ઈશ્વર છું. અને જે જે દશ્યપ્રપંચ અસ્તિત્વમાં છે, તેમાં હું જ વ્યાપ્ત છું. મેં જ અનેક આકાર અને નામ ધારણ કર્યો છે. જેમાં માટી અને સોનું, માટીના વાસણ અને ઘરેણાંમાં એક છતાં અનેક રૂપધારી છે, તેમ હું સર્વરૂપ છું. જે નિરાકાર હોય તે જ સર્વ આકારોનો, સાકારોનો આધાર હોય. આકાશ નિરાકાર છે. માટે જ સર્વ આકારો તેમાં પરિભ્રમણ કરે છે. તેમ હું સવકાર સર્વનું અધિષ્ઠાન છું, મારા સ્વરૂપ માટે જ ઈશોપનિષદમાં કહેવાયું કે “
શિવમ સર્વ જિગ્ન નત્યિાં જતાં' “mતમાં જે કંઈ સ્થાવર, જંગમ છે તે સર્વ ઈશ્વર દ્વારા આચ્છાદિત છે.” તેથી પણ મને સમજાય છે કે હું સર્વરૂપ છું.
હું સર્વાતીત અને અવ્યય પણ છું, સૌથી અતીત અર્થ સૌનો સાક્ષી છું. સૌથી અતીત અર્થાત્ સૌથી સૂક્ષ્મ છું. પંચકોષની અંદર છું, મનનું પણ મનન કરનાર છું. ષ્ટિની પણ દષ્ટિ હું. મને પગ નથી પણ સૌથી ઝડપી હું. કર્ણ વિના શ્રવણ કરું તે હું. અને હાથ વિના સ્પર્શ કરું તે હું સૌથી દૂર અને અત્યંત નજીક છે તે હું. આમ મારા સ્વરૂપનો વિચાર કરતાં સ્પષ્ટ થાય છે કે હું સર્વનો આધાર, અવિનાશી, અવ્યય, આત્મતત્ત્વ છું.
શરીર અને આત્માના વિભાજનમાં શાંકા-સમાધાન પરંપરાગત શિક્ષણપદ્ધતિમાં એક વિશિષ્ટ અને અનોખું તત્ત્વ એ છે કે ગુરુ કે આચાર્ય જ શિષ્ય માટે શંકા ઊભી કરે છે અને તેનું સમાધાન પણ ગુરુ કે આચાર્ય જ આપે છે. શક્ય છે કે શિષ્યને પ્રશ્ન પૂછવાની હિંમત ન હોય; અગર તેટલી પરિપક્વતા ન હોય અને બન્ને હોય છતાં આદરભાવથી મૌન સેવતો હોય. તેવાને માટે ગુરુ જ પ્રશ્ન પૂછે અને અતિ ઉત્તર પણ તે આપે છે. તેથી ભવિષ્યમાં જાગનારી તમામ શંકાનું જાગતાં પૂર્વે જ સમાધાન થઈ જાય. શાસ્ત્રની ભાષામાં આવી શંકાને પૂર્વપક્ષ