________________
(૧૮૩) સહન થતો ન હોય તો જાતે જ જાતને દુ:ખી કરો.
(૩)જો તમે શરીર અને આત્મા બન્નેને જુદા અને સત્ય માનો છો તો ' પછી તમને ઘડો અને માટી; સોનું અને ઘરેણાં બન્ને સત્ય લાગતાં હશે અને બન્નેમાં ભેદ નહીં જણાતો હોય. જો તેમ જ હોય તો ક્યા કરી સોનું મને આપી, દાગીના તમે રાખો! બંગડી તમે રાખો, તેનું સોનું મને આપો!
મને સ્પષ્ટ ખ્યાલ છે કે તમે નહીં આપી શકો, વાતો જ જુદાઈની છે. છે ક્યાં જુદાઈ! અછોડો, બંગડી, વીંટી-નામ જુદાં છે, આકારમાં ભેદ જરૂર છે. છતાં સોનાથી ભિન્ન, દૂર, અળગું તેમનું અસ્તિત્વ ક્યાં? ઘડાથી માટી જુદી જરૂર છે. પણ માટીથી ભિન્ન ઘડાનું દર્શન કર્યું
છે?
સૂતર વિના કપડાં કેવાં? દોરી વિના સર્પ ક્યાં? અધિષ્ઠાન વિના આરોપ ક્યાં? પડદા વિના ચલચિત્ર કેવું? કોઈ આધુનિક, અર્વાચીન, લેટેસ્ટ ચાવક કહી શકે કે પડદા વિના મેં સિનેમા જોઈ છે. પૂછીએ ક્યાં? તો કહેશે સ્વપ્નમાં તો...તો..સર્વશ્રેષ્ઠ વાત થઈ.
જેમ સ્વપ્નમાં જે જોયું, તે જાગ્રતમાં રહેતું નથી, તેથી સર્વ અસત્ છે. તેમ જ સમજવાનું છે કે શરીર, જગત, સર્જન, સર્વ સ્વપ્નવત્ છે. અસત્ છે. ભ્રાંતિ છે. સત્ય કંઈ નથી. સ્વપ્નમાં જેમ ડાકુ-સાધુ વચ્ચે ભેદ નથી તેમ જાગ્રતમાં, જ્ઞાનમાં, સર્વ અભેદ છે. અને સમજવાનું એટલું જ કે જેમ માટી-ઘડામાં ભેદ છે પણ માટી વિના ઘડો સંભવી ન શકે; તેમ જ શરીર આત્માથી ભિન્ન જરૂર છે પણ આત્મા વિના શરીર સંભવી શકે નહીં. દશ્ય દ્રષ્ટાથી ભિન્ન છે. શેય શાતાથી ભિન્ન છે. પણ દ્રષ્ટાથી ભિન્ન, જ્ઞાતાથી દૂર શેય કદી નથી. કાર્યથી કારણ ભિન્ન છે. પણ કારણ વિના કાર્યનું અસ્તિત્વ હોઈ શકે નહીં.
અને....આત્મા દેહથી ભિન્ન જરૂર છે. પણ દેહ આત્માથી પૃથફ થઈ શકે નહીં. કારણ દેહને સાચું અસ્તિત્વ જ નથી. સર્પ દોરીથી જુદો, દોરી વિના