________________
(૧૭૧) જેમ મોજાં ફીણ, પરપોટા, મોતી, માછલાં અને સાગર જ છે. સાગરમાંથી જન્મે છે; સાગરમાં જ તેમનું અસ્તિત્વ છે. અને સાગરમાં જ તે સૌ લય પામે છે. તે જ પ્રમાણે દશ્ય પ્રપંચ માત્રનું અધિષ્ઠાન પુરુષ જ છે. પુરુષમાં જ તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય છે. જેમ સર્પનો જન્મ દોરીમાંથી, અસ્તિત્વ દોરી પર અને લય પણ અંતે દોરીમાં જ થાય છે છતાં પરંપરાગત શિક્ષણપ્રણાલિકામાં પ્રથમ આરોપ ઊભો કરવા ભેદ દર્શાવવામાં આવે છે. પછી નેતિ નેતિ' દ્વારા ભેદ દૂર કરી “અપવાદ દ્વારા એક, અભેદ, અતિનું દર્શન કરાવવામાં આવે છે. માટે પ્રથમ સર્જન, સ્થિતિ, લય, તેવો કમ પણ બતાવ્યો છે અને અને તે સર્વ ભ્રાંતિ છે તેવી વાત પણ શાસ્ત્ર કરી છે. જે ભેદ નથી, તો અપવાદ દ્વારા શું દૂર થાય? માટે જ અલૌકિક, અજબ, ગજબની શિક્ષણપ્રણાલિકા છે.
શંકા-જો આત્મા એક છે, સર્વવ્યાપ્ત છે, જડ-ચેતન સર્વમાં તે જ છે તો અદશ્ય કેમ છે? અદશ્ય છે તેથી તે સર્વવ્યાપ્ત નથી.
આ તકે અસંગત છે. ખરેખર સર્વવ્યાપ્ત હોય તે અદશ્ય જ હોય. વાયુ ક્યાં દેખાય છે? અરે! આકાશ કયાં દશ્ય છે? અંધ વ્યક્તિ પણ વાયુના અસ્તિત્વનો સ્વીકાર કરે છે સાચી વાત તો એવી છે કે, જે કહે છે કે, આત્મા અદશ્ય છે તેનો સ્વીકાર તો કરી જ લે છે. છતાં જે અંધ વ્યક્તિને સૂર્ય ન દેખાય તો તેમાં સૂર્યનો કોઈ ગુનો? શ્રીકૃષ્ણ પરમાત્માએ સ્પષ્ટ જ કહ્યું છે કે મુખે કે અજ્ઞાનીને અથવા મૂઢને આત્મા દેખાતો નથી. તે તો માત્ર જ્ઞાનચક્ષુવાળાને જ સુલભ છે, દેખાય છે.
“વિમૂઢા નાનુપતિ પત્નિ જ્ઞાનવલુક:” બૃહદારણ્યક ઉપનિષદમાં પણ આત્માને અસંગ પુરુષ કહ્યો છે. તેથી આ બધા પુરાવાથી સ્પષ્ટ થાય છે કે આત્મા દેહ કદી નથી. असंग: पुरुष: प्रोक्तो बृहदारण्यकेऽपि च।
अनन्त मलसंश्लिष्टः कथं स्याद् देहकः पुमान्॥३६||
રક અને વૃદલાયે પબૂહદારણ્યકમાં પણ પુ: અi: પ્રોસ્તા= આત્માને અસંગ ગણ્યો છે અને