________________
(૧૬૯) કોઈનું કાર્ય પણ નથી. માટે કહ્યું કે “માતુ પર ર” અને પછી કહ્યું છે કે “પરમ્ તિ ને વિંચિ” અર્થાત્ આત્માની પછી પણ કોઈ કાર્ય નથી. એટલે આત્મા પણ કોઈના સર્જન માટે કારણ નથી ! અને આત્માનું કોઈ કાર્ય નથી. ટૂંકમાં આત્માને કારણ નથી ને આત્માનું કોઈ કાર્ય પણ નથી. તેથી આત્મા કાર્ય-કારણ-રહિત છે. અર્થાત્ આત્મા કે બ્રહ્મ કારણ-કાર્યથી પર છે. વિવેક ચૂડામણિમાં આવે છે કે.
“कार्यकारणविलक्षणं परं ब्रह्म तत्त्वमसि भावयात्मनि" જે બ્રહ્મ કાર્ય-કારણથી પર, મુક્ત છે તે જ બ્રહ્મ તું છે તેમ તું ! મનમાં ધ્યાન કર'.
તત્વાર્થ જોતાં સમજાય છે કે પર= પૂર્વે અને સામાન્ય રીતે કારણ પહેલાં હોય, પછી કાર્ય આવે છે. બાપ-અને બેટો, એટલું જ નહીં કારણ સૂક્ષ્મ હોય છે-જેમ કે બીજ કે શુકજંતુ; જયારે કાર્ય સ્થૂળ રૂપે દેખાય છે.
= પછી...અને કાર્ય પાછળથી આવે છે જે સ્થળ છે. જેમ શરીર કાર્ય છે અને સ્થળ છે.
હવે સ્પષ્ટ થાય છે કે આત્મામાં સ્થળ કે સૂક્ષ્મ એવું કંઈ હોતું નથી કારણ કે એ બધું તો દેશમાં છે. આત્મા દેશથી મુક્ત છે. તેથી નાનું ‘મો’ પણ તેમાં નથી.
આત્મામાં કોઈ પહેલાં અને કોઈ પછી તેવું નથી. પૂર્વે-પછી સમયમાં હોય; આત્મા સમયથી અપરિચ્છિન્ન છે. કાળથી મુક્ત છે.
આત્મામાં નથી કાર્ય કે કારણ. તેવું સર્વ વસ્તુમાં, સાકારમાં હોય, | જેને જન્મ છે તેને કાર્ય-કારણ છે. આત્મા વસ્તુથી મુક્ત છે. માટે છે કાર્ય-કારણથી પર છે.
આમ જે આત્મા દેશ, કાળ, વસ્તુથી મુકત છે તે દેશ, કાળમાં બદ્ધ શરીર કઈ રીતે હોઈ શકે?
આગળના શ્લોકમાં નિર્દેશ થયો તે મુજબ કૃતિના સંદર્ભમાં જ વિચાર આગળ પ્રવાસ કરે છે. અને અહીં શ્વેતાશ્વતર ઉપનિષદના દૃષ્ટાંત દ્વારા જ સ્પષ્ટ બતાવ્યું છે કે શ્રુતિ સંમત તર્કનો અને વિચારનો સહારો લઈ આત્મવિચાર કરવો.
“यस्मात्परं नापरमस्ति; किंचित् यस्मानाणीयो न ज्यायोऽस्ति कश्चित् वृक्ष વ સ્તબ્ધો ડિવિ તિકૃત્યે તેનેવું પૂર્ણ પુરુષેણ સર્વ” જેનાથી કાંઈ પૂર્વે નથી, કાંઈ પછી નથી; જેનાથી કોઈ વધુ સૂક્ષ્મ કે વધુ મોટું નથી; !