________________
(૧૩૦). પથરા પર સિંદૂર લગાડી હનુમાન બનાવ્યા, પરમ ભક્ત હનુમાન અને ગમની ઠેકડી ઉડાડી. અશાનમાં ડહોળાયેલ માનવમન પણ સ્વચ્છ, શાંત, નિર્જન સ્થળ પણ જે મૂર્તિરહિત હશે તો ત્યાં નહીં જાય અને કોલાહલપૂર્ણ ગંદું, હોટલો, રેડિયો, બજાર અને મેળાની વચ્ચે, વેપારીની પેઢી કે કરિયાણાની દુકાન જેવાં ધંધાદારી સ્થળોએ જયાં મૂર્તિ હશે ત્યાં જ જશે. કરણ કે, જે પોતાને નિરાકાર સ્વીકારતો નથી તે પ્રભુને કઈ રીતે સ્વીકારે?
જેને નિજ શરીરમાં, જે માત્ર પાંચ ટનું છે તેમાં જ ઈશ્વરદર્શન થતાં 'નથી તેને ઊંચી ઈમારતોમાં ક્યાંથી થશે? તે ધાર્મિક ભવનોમાં તો તેનું રૂપ જ ખોવાઈ જશે! આત્મદર્શન માટે, સ્વરૂપના સાક્ષાત્કાર માટે કયાંય જવાનું નથી. કોઈ ક્યાંયથી આવવાનું નથી. માત્ર દેહભાવથી મુક્ત થવાનું છે. શરીરના આકારમાંથી છૂટા થવાનું છે-જેવા છૂટા થયા કે સ્વરૂપને મળ્યા. સ્વરૂપને મળ્યા કે સમજાયું... મારામાં આકૃતિ નથી.. ભ્રાંતિમાં પણ વિકૃતિ મારી નથી... પ્રકૃતિ ને સ્વીકૃતિ મારી નથી સુરૂપ-કુરૂપની સંસ્કૃતિ મારી નથી
વિકારનો હું દ્રષ્ટા છું. આકાર મારું રૂપ છે. નિરાકાર મારું સ્વરૂપ છે.
મદ નિર્વિવાદ હું નિરાકર છું.” આપણે આપણામાં આકાર માનીશું તો વિકર સ્વીકારવો જ પડશે. છે જે આપણે આપણી આકૃતિનો સ્વીકાર નહીં કરીએ તો કદી પણ વિકૃતિ આપણને સ્પર્શ નહીં કરી શકે.
ચાલો, આજે એક પવિત્ર નિર્ણય કરીએ. સૌ મને ઉત્તર આપે પોતાની જાતને પૂછીને-આપણે વિકારી છીએ કે વિકારરહિત નિર્વિકારી?
આપણે નાના હતા, મોટા થયા, વૃદ્ધ થયા. આ સૌ વિકાર છે આપણા માટે. આપણે વિકારી છીએ. યાદ રાખીએ જે આપણે વિકરી