________________
(૧૫) તેઓ ઉતાવળા થશે.. “ડીસેકશન માટે, પોસ્ટમોર્ટમ માટે, શરીરનો વાઢકાપ અને ચીરફાડ માટે રખેને હદય, મગજ, જઠર, જેમ આત્મા જેવું કંઈ મળી જાય પણ આવો પ્રયત્ન તેમની હતાશાની ભગ્ન જવાળાઓમાં ઘી હોમવાનું કાર્ય જ કરશે. શરીરમાં આત્મા છે, તેથી બહાર નથી તેવું નથી; પણ જેને શરીરમાં જ નહીં જણાય, તેને ગતમાં રખડવાથી પણ મળવાનો નથી. શરીરમાં અથ શરીરને સ્પર્શ ક્યાં વિના તેના સંહાર વિના પણ જાણી શકાય તેવો છે હોળીના તહેવારમાં બજારમાં ખાંડનાં રમકડાં વેચાતાં મળે છે. તેનાં અનેક નામ, અનેક આકાર હોય છે. ખાંડનાં રમકડાંમાં ખાંડ છે તેવું જાણવા, ખાંડનાં રમકડાંનું પોસ્ટમોર્ટમ કે “ડીસેકશન’ કરવાની જરૂર નથી. તે રમકડાંના આકારને યથાવત્ રહેવા દઈને જ તેમાં ખાંડ છે તે જાણવાની જરૂર છે. પણ કમનસીબે આપણે બન્યા પાગલ નામ અને આકારના mતમાં, તેથી નિરાકાર અને અનામી આત્માને ખોઈ બેઠા. પરમાત્મા નથી દેહની બહાર, નથી mતથી દૂર જરા ધ્યાનથી જોઈએ તો છે તે આપણી આસપાસ જે દેહમાં આત્મા છે....તે દેહમાં આપણે એટલી બધી આસક્તિ ઊભી કરી; શરીરના સાકાર રૂપની ઘેલછા એટલી વધી કે શરીરને જ આત્મા માની બેઠા અને આત્માની વિસ્મૃતિ થઈ ગઈ. આમ ને આમ આ સભ્ય, સુસંસ્કૃત અને શિક્ષિત વર્ગો દેવને છોડી મંદિરની પણ શરૂ કરી; પરમાત્મા છોડી પથરા પૂજવા લાગ્યા અને લાંબા સમયને અને પથ્થર જ પરમાત્મા એવી માન્યતા દઢ થઈ. અનીતિ અને અનાચારને રસ્તે આવેલી તમામ સંપત્તિ મોટે ભાગે મંદિરોના પાયામાં દટાવા લાગી. સંતો, કહેવાતા વિદ્વાનો, સાક્ષરો, સજજનો અને સમાજના પ્રતિષ્ઠાવાળા વર્ગોએ તેનો ન તો વિરોધ કર્યો, ન નિષેધ પણ સહકાર આપ્યો. સમાજકલ્યાણનું બેય લઈને બેઠેલી સંસ્થાઓએ પણ મૌન ધર્યું, કેમ કે સૌને અને જરૂર છે પૈસાની. સૌની પ્રતિ વણમાગે આવતો ધનપ્રવાહ અટકાવવા કોઈ તૈયાર ન થયું. દૂઝણી ગાયને કોણ ત્યાગે! બીજી મહેલાતોમાં કાળું ધન વપરાય તે તો ગજાહેર છે. પણ જ્યાં પરમાત્માનો વાસ છે તેવું માનનારા પણ પરમાત્માને પવિત્ર માનવા છતાં પણ અપવિત્ર ધન કેમ વાપસ્તા હશે તે આપણે જ વિચારવું રહ્યું! આવા લોકોને પણ ઊંડે ઊંડે ખ્યાલ છે કે પરમાત્મા તો હૃદયમાં જ છે, આ તો દેખાવ છે, વ્યવહાર છે,