________________
(૧૫૨)
મોહિ સુન સુન આવત હાંસિ, આતમજ્ઞાન બિના સબ સૂના
કયા મથુરા ક્યા કાસી, ઘરમેં વસ્તુ ધરી નહિ સૂઝે
બાહર ખોજન જાસી, મૃગકી નાભી માંહી કસ્તૂરી
બન બન ખોજન જાસી, કહે કબીર સુનો ભાઈ સાધો
સહજ મિલે અવિનાસી. વાત તો દીવા જેવી સ્પષ્ટ જ છે કે નિજ સ્વરૂપ સહજાનંદ છે, સહજ સ્વરૂપ સહજતાથી જ મળી શકે તેમ છે. પણ તેનો રસ્તો કયો? બીજો કોઈ નહીં, જેમ “સ્વરૂપ” સહજ છે, તેમ જ જ્ઞાન પણ સહજ છે, કારણ કે જ્ઞાન પણ મારું જ સ્વરૂપ છે. બસ કાંઈ જ કરવું નહીં. માત્ર “પર” છોડ, “સ્વને જો... “જ” એટલે “જાણ'. દર્શન એટલે પોતાને માણ’. ‘જાણ’ એ જ છે આનંદની અનંત ખાણ. પછી ન બાકી રહે કોઈ ઓળખાણ. કર પરિચય પોતાનો, પોતાની જાતે, પોતાની જ
જ્યોત જલાવ, જ્ઞાનાગ્નિ પ્રગટાવ, સ્વયજ્યોતિ પ્રજ્વલિત કરી સ્વયંને જે. તો જ તને સમજાશે કે....
મેં શુદ્ધ હું, મેં બુદ્ધ હું; જ્ઞાનાગ્નિ ઐસી લે ભલા
મત પાપ; મત સંતાપ કર; અજ્ઞાન બનકો દે જલારા - જ્યોં સર્પ રસ્સીમાંહી જિસમેં; ભાસતા બ્રહ્માંડ ભરા
સો બોધ સુખ તુ આપ હે; હો જા અર! હો જા અંમરા. નિજ રૂપકે અજ્ઞાનસે; જન્મા કરે ફિર જાય મરા ભોલા! સ્વયંકો જાનકર; હો જા અજર; હો જા અમર
(અષ્ટાવક્રગીતાનો ભાવાનુવાદ, ભોલેબાબા)
નનનનન