________________
(૧૫૦) સબહિ કરમ હમારા ક્વિા; હમ કરમનસે ન્યારે હો”
“સંત કબીર” હું મારામાં, મારા દ્વારા, પરિપૂર્ણ છું. અપૂણને જ અધૂરાઈ, ચંચળતા છે. સ્વરૂપમાં જે નિપુણ છે તેને નિત્ય, નિરંતર, નિશંક, નિર્દોષ, નિશ્ચલતા જ છે. નિવૃત્તતા જ મારું સ્વરૂપ છે. અને તેથી જ હું નિશળ છું 'अहम् निश्चल:'
“અર| મનન્તઃ' હું અનન્ન છું. અર્થાત્ મારો અંત નહોતો, નથી, થવાનો નથી. દેશથી મારો અંત નથી, કારણ હું શરીર કે સાકાર નથી. નિરાકારને, સર્વવ્યામને દેશની સીમા સ્પર્શ કરતી નથી. હું દેશથી મુક્ત છું.
કાળથી મારો અંત નથી. કારણ હું અજન્મા છું. જન્મે તે મરે અને મરે તે જન્મે. જેને આદિ છે તેને જ અંત છે. શરીરને, સંસારને આદિ=શરૂઆત છે. મારે આદિ નથી તેથી અંત નથી. આમ હું સ્વરૂપે અનાદિ અને અનંત છું.
વસ્તુથી મારો અંત નથી. કારણ હું અભેદ છું. મારામાં સ્વગત, સ્વજાતીય ભેદ નથી. ભેદ દશ્ય વસ્તુમાં છે. હું તો અદશ્ય જ્ઞાનસ્વરૂપ છું. લઈ: ન: માવ:' જે દેખાય છે તે નાશવાન છે.
હું તો જ્ઞાનેન્દ્રિય, મન-બુદ્ધિનો અવિષય, તેથી નથી શ્ય, નથી મારો નાશ કે અંત. હું તો હૃતિ સંમત સનાતન સત્ય છું.
“સાં સાનં અનન્ત ” (ત.ઉ) “હું સત્ય, જ્ઞાન અને અનન્તરૂપ બ્રહ્મ છું.” અથતુ હું દેશ, કાળ, વસ્તુથી મુક્ત અપરિચ્છિન્ન તત્વ છું. “અહમ્ શુદ્ધઃ' હું શુદ્ધ છું.”
અથત મારા જેવો બીજો નથી તેવો હું એક અને અલ છું. અશુદ્ધિ બહારથી આવે છે. અતિમાં નથી કંઈ બહાર, નથી કંઈ અંદર. નથી દૂર કે પાસ. કારણ એક અદ્વૈત તે જ ચૈતન્ય અને ચૈતન્ય એટલે જ જ્ઞાન. જે જ્ઞાનસ્વરૂપ છે તે અગ્નિ જેમ શુદ્ધ છે. માટે જ તેને જ્ઞાનાગ્નિ