________________
(૧૮)
શ્લોક ૨૪થી જ્ઞાનના સ્વરૂપ વિશે જે વિચારણા ચાલી રહી હતી તે વિચારની પૂર્ણાહુતિ થાય છે.
- “અદકુ નિર્માતઃ હું મળરહિત છું' જે જે અવિદ્યા કે અશાનનું કાર્ય છે તે સર્વ મળે છે. હું તો જ્ઞાનસ્વરૂપ છું. જ્ઞાનને અજ્ઞાનનો કે અવિદ્યાનો સ્પર્શ ક્યાં? બન્ને પૂર્ણ વિરોધી, એક સમયે, એક સ્થળે અસ્તિત્વમાં ન જ હોઈ શકે. જો મારા સ્વરૂપમાં અજ્ઞાન કે અવિદ્યા જ નથી તો તેનું કાર્ય ક્યાંથી હોય! હું અવિદ્યાજન્ય કાર્ય જે મળે છે, તેથી રહિત છું.
હું સ્વરૂપે સ્વચ્છ, શુદ્ધ, શુભ, જ્યોતિર્મય છું જેમ સ્થૂળ શરીર તમ| ગુણનું કાર્ય છે, તેથી અસ અને અશુદ્ધ છે તેમ હું “આત્મસ્વરૂપ” કોઈ ગુણનું કાર્ય નથી. એટલું જ નહીં હું શરીર જેમ પંચમહાભૂતનો સંઘાત નથી. મારામાં કોઈનું સંયોજન કે મિશ્રણ નથી. હું તો અસંગ, નિઃસંગ મિલાવટરહિત નિર્મળ છું.
આત્મા અસંગ છે. તેથી જ કોઈ પણ પદાર્થ કે દ્રવ્યનો મળ તેને લાગી શકતો નથી. જેમ આકાશમાં વંટોળ ઉછે, મળ તેમાં દેખાય, પણ તેને સ્પર્શ કરતો નથી. | આત્મામાં શરીરભાવ, દેહાભિમાનરૂપી મળ નથી જે અવિઘાજનિત છે.
હું શરીર છું તે સ્વીકારતાં જ હું રૂપાળો, બળવાન, સુખી, રાજા, ધનવાન વગેરે ભ્રાંતિ ઊભી થાય છે. એટલું જ નહીં હું કત', કે હું ભોક્તા છું એવો અહંકાર પેદા થાય છે. જે કર્મ કરાવે છે અને અનેક યોનિઓમાં લઈ જાય છે. આ કર્મ એ જ માનવજીવનમાં મળે છે કારણ કે તે જ જીવાત્માને પતનના મહાસાગરમાં લઈ જાય છે. શ્રી રમણ મહર્ષિ કહે
છે કે
‘कृति महोदधौ पतनकारणम् ।
फलमशाश्वतं गतिनिरोधकम् ॥ કર્મનો મહાસાગર પતનનું કારણ છે. અનિત્ય ફળ આપનાર કમ) આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધક છે. કર્મ કરાવે કોણ? અધૂરી અતુમ વાસના. તેથી વાસના પણ મળે છે. હું સ્વરૂપે તો વાસનરહિત છું. આત્મસ્વરૂપમાં