________________
(૧૫૩) આત્મશોધની મૂર્ખતા "आत्मा त्वं गिरिजा मति: सहचरा: प्राणा शरीरं गृहं
पूजा ते विविधोपभोगरचना निद्रा समाधिस्थितिः। ભગવાન શંકરાચાર્યજી પરાપૂજામાં જણાવે છે કે હે શંભો! “તમે જ આત્મા છો. બુદ્ધિ પાર્વતી છે. પ્રાણો આપની સાથે રહેનાર અનુચરો છે. શરીર આપનું મંદિર છે.” આમ જો શરીર જ મંદિર હોય, આત્મા અંદર બિરાજમાન હોય તો પછી આપણે ક્યાંય બહાર ફાંફાં મારવાની જરૂર ક્યાં છે? પણ ઘણી વાર એવું બને છે કે જે અત્યંત નિક્ટ હોય તે જ અતિ દૂર હોય છે. અને તેનાથી જ આપણે અનભિન્ન અને અજ્ઞાત હોઈએ છીએ. વાયુ કે હવા આપણી અંદર છે, બહાર છે, ઉપર, નીચે સર્વત્ર છે. છતાં તેના મહત્ત્વનો ક્યાં કદી આપણે વિચાર કર્યો છે? તેની ખૂબ નજીક છીએ માટે જ તેની પરવા નથી કરી. પણ પાંચ મિનિટ માટે નાક, મોં બંધ કરો. શરીરનું રૂંવેવું..વાયુનાં ગુણગાન ગાશે....અને તેના અસ્તિત્વનું ભાન પણ ક્ષણમાત્રામાં થશે, તેનું મહત્ત્વ પણ સમજાશે. આત્મા તો એ વાયુનો પણ પ્રાણ છે છતાં આપણે તેની શોધ શરીર બહાર કરી રહ્યા છીએ તે મૂર્ખામીની પરાકાષ્ઠા છે તેવું સમજાય
स्वदेहे शोभनं सन्तं पुरुषाख्यं च सम्मतम् ।
किं मूर्ख शून्यमात्मानं देहातीतं करोषि भोः॥२९॥ મો પૂર્વ =હે મૂર્ખ સ્વદે શોમન સન્તમ્ =નિજ શરીરમાં સત= રહેલો મંગળમય (સૌંદર્યમય) પુરૂષારા ૨ સમ્મતમ્ =પુરૂષનામધારી અને શ્રુતિસંમત દેહાતીતમ્ આત્માનમ્ –દેહથી પર આત્માને સૂચનું વિમ્ વો િ=શા માટે શૂન્યરૂપ માને છે.
હવે ભગવાનનો સંકેત પકડવાનો પ્રયત્ન કરીએ.
દે શોમાં સાં શરીરમાં મંગળમય રહેલો (આત્મા) જો વૈજ્ઞાનિકોને “સાબિતી વિના સ્વીકાર નહી? તેવા સૂત્રને વરેલી નવી યુવાન પેઢીને એમ કહેવામાં આવે કે આત્મા શરીરમાં જ છે....તો બસ