________________
(૧૩૪) દિ .... અને અસત્ : કૃતિ રેહા મમુ નઃ અસરૂપ દેહ હું નથી. (તત) જ્ઞાન (ગતિ) કૃતિ તે વધે તે જ જ્ઞાન છે તેવું બુદ્ધિવાન
દ્વારા કહેવાય છે. શંકા: જયાં સુધી “હું નિર્વિકાર, નિરાકાર, આત્મા છું' તેવું જ્ઞાન નથી ત્યાં સુધી તો હું શરીર છું તેમ જ સમજવાનું કે નહીં?
સમાધાન: ના, કદી નહીં. જ્ઞાનમાં તો બીજું છે જ નહીં. તેથી બાર'; “મારા” “મારો વગેરે નથી. જો અજ્ઞાનમાં કોઈ પોતાને આત્મા અને અને વારંવાર જન્મમૃત્યુના ચક્રમાં આવવા-જવાવાળો માને તોપણ
સ્પષ્ટ છે કે તે “જીવ' છે. જીવ વાસના પ્રમાણે આગળ જવાનો; દેહ પાછળ છૂટી જવાનો. અર્થાત્ જે પાછળ છૂટી જાય, જેને ડાઘુ ઉપાડી જાય તે હું કે મારું કઈ રીતે હોઈ શકે? તે તો સ્મશાન જવા ગર્ભથી નીકળેલી હરતી-ફરતી લાશો, ત્યાં જ યાત્રા અટકાવે છે. કેટલીક લાશો બને છે નિશાન કબરોનું, કેટલીક સ્મરીને સરિતામાં ડૂબે છે. તેથી અજ્ઞાનમાં તમે જીવ છો તોપણ સુરક્ષિત છો, ચાલ્યા જાઓ છો. શરીરો કેટલાં વેડફાય છે! જમીનમાં ઊધઈ, પાણીમાં જળચર! નિર્જનમાં ગીધ“વલ્ચર’ની ખેંચાખેંચ અને સભ્ય સમાજમાં પોસ્ટમૉર્ટમ'ની ચૂંથાગૂંથ-અરે..મોતના હાથમાં પણ કયાં છે સુરક્ષિત શરીર! જે આટલું રઝળતું-રખડતું....તે હું કદી નહીં તે ભ્રાંતિમાં પણ મારું થઈ શકે તેમ નથી. હું તો આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત છું. સર્વવ્યાપ્ત છું.
‘ગર નિરામય' હું રોગરહિત નીરોગી છું.” નિ+ નામય નિરામય. મામય અર્થાત્ દર્દ કે રોગ. રોગ તો શરીરનો વિકાર છે. હું તો અશરીરી. મારે વિકાર કેવો? અને ઉપાધિના રોગને જો હું મારો માનું તો હું કેવો મૂર્ખ? હું મને શરીર માનું તો જ મારે વ્યાધિ=શરીરના રોગ છે. અને શરીરના રોગને મારો રોગ માનું તો મને વ્યધિક માનસિક ચિંતા-તે મનનો રોગ છે. અને આધિ, વ્યાધિના સ્વીકારમાં, માનસિક અને શારીરિક દર્દીના સ્વીકારમાં અજાણતાં જ મેં ઉપાધિનો સ્વીકાર કર્યો, આ તો બધું અજ્ઞાનમાં છે. જ્ઞાનમાં તો હું નિરુપાધિક, નિરાભાસ, નિર્વિકલ્પ, સર્વવ્યાપ્ત આત્મતત્ત્વ છું. તેથી જ હું આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત છું.
જો ભ્રાંતિ કે આભાસમાં પણ આપણે આપણી ઉપાધિની સ્વીકૃતિને