________________
(૧૩૩)
અનેક કર્ણોની યાત્રા કરી ચૂકેલી સાંભળવામાં આવેલ એક થા આ સંદર્ભમાં યાદ આવી. મને તો ક્યાનું આંતરદય સ્પર્શી ગયું. એક વાર સંત કબીરજી એક સ્થળે થોભી ગયા. વિસ્મય પામ્યા. વિચારવંટોળમાં ઊડ્યા. ઘંટીના બે પડ વચ્ચે પિસાતા અનાજના દાણા જોઈ અરે, કોઈ ઘણો આ બે પડ વચ્ચે બચી શક્યો નથી તેમ જ કાળનાં બે ચક્રોમાં માનવજાત પિસાય છે. કોઈ તેમાંથી બચી શકે તેમ નથી. સંસાર માત્ર કાળચક્રમાં ચૂરેચૂરા થાય છે: આવા વિચારો કબીરની આંખમાં ઝળઝળિયાં લાવે છે. સંતના કરુણામય હૃદયમાંથી વાણી પ્રગટે છે:
“ચલતી ચક્કી દેખિકે દિયા કબીરા રોય,
તારી
"9
ત્યાં તો અનાયાસે પુત્ર માલ ત્યાં ઉપસ્થિત થાય છે અને વિસ્મય પામેલ પિતાને કહે છે કે આપની વાત તો સત્ય છે, કાળચક્રથી કોઈ બચ્યું નથી. પણ કેમ આપની દૃષ્ટિ ઘંટીનાં બે પડ વચ્ચેના ખીલા તરફ ગઈ નહીં? તે ખીલો અફર છે માટે જ બે પડ ફરે છે. તે અવ્યય છે, માટે જ ઘણાનો વ્યય છે. ખીલો પોતે પિસાતો નથી પણ તેના જ આધારે ઘણા પિસાય છે. અરે, કદી કેમ ભૂલાય કે જે ઘણા આ આધારરૂપી ખીલાને વળગીને રહે છે તે ક્દી પિસાતા નથી. કેમ કે, તેમને સાથ છે અવ્યય, અફર ખીલાનો. તેવી જ રીતે જે વ્યક્તિ અપરિવર્તનશીલ પરબ્રહ્મના સ્વરૂપમાં ખીલા જેમ સ્થિર ઊભો રહી શકે અગર સતત, સાથ કે સંગાથમાં પરબ્રહ્મમાં રહી શકે તે કાળના ચક્ર વચ્ચે, વ્યય અને ક્ષય થતાં સંસાર મધ્યમાં પણ અવ્યય રહી શકે તેમ છે.
જે અજ્ઞાની પોતાને દેહ માને છે તે તો વ્યયવાળા થઈ જાતે જ જાતને જડ બનાવે છે. શરીર અસત્ છે, કલ્પિત છે, અનાદિ છે, તેની નિવૃત્તિ આપો-આપ ન થાય. જ્ઞાન દ્વારા જ શરીરભાવ નષ્ટ થઈ શકે... જ્ઞાન માટે સતત ચિંતન “હું અવ્યય, નિરાકાર, અપરિવર્તનશીલ છું” તે જરૂરી છે.
निरामयो निराभासो निर्विकल्पोऽहमाततः ।
नाहं देहो सद्रूपो ज्ञानमित्युच्यते बुधैः ॥२६॥ અગ્ નિમય: નિશામાસઃ- હું નીરોગી અને આભાસરહિત છું. (અમ) નિર્વિવત્ત્વ: આતત:
કલ્પનારહિત અને સર્વવ્યામ છું.