________________
(૧૩૨).
પ્રયત્નશીલ બની આપણામાં સંસ્કાર દઢ કરવાના છે કે હું વિકારરહિત છે. જેમ વિના પ્રયત્ન વનસ્પતિ ઊગે છે, દાઢીના વાળ ઊગે છે, તેમ કંઈ નહીં કરીએ તોપણ વિકાર ઉત્પન્ન થશે. માટે સજાગ રહી આત્મચિંતન દ્વારા વિકારથી બચવાનો પ્રયત્ન અનિવાર્ય છે. “મનુ નિવા?’ હું નિષ્પાપ
અવાનો અર્થ પાપ થાય છે, હું પાપથી મુક્ત છું. પણ મને સ્પર્શ કરતાં નથી. કારણ કે હું અવયવરહિત છું. પાપ કે પુર્ણ કરવા માટે અવયવ જોઈએ. અશરીરીને પાપ કે પુણ્ય નથી. અને નથી હું કત કે મારે સંગ હોય સત્કર્મ કે દુષ્કર્મનો. પાપનો ખ્યાલ તો જે અસંગત, દુ:ખદાયી, બીજાને પીડા ઉપજાવનારું કર્મ કરે છે તેને જ છે. દરેક જાણે છે જેનાથી હું દુઃખી છું તે જ કર્મથી બીજે પણ દુ:ખી છે. તેથી તે પાપની ભાવનાથી, ગુનેગારની લાગણીથી, ગુનાહિત માનસથી પીડાય છે ને પોતાને પાપી માને છે. “ગીલ્ટફિલિંગ” વ્યક્તિ જાતે જ ઉપજાવે છે, સારાનરસાના ભાવ દ્વારા. આત્મા આવા તમામ ભાવ અને મનોદશાથી મુક્ત છે. ઉચિત-અનુચિત, સકામ-નિષ્કામ કર્મ આત્માને નથી. આત્મા તો અસંગ નિઃસંગ છે. તેથી મારે કર્મ સાથે સંબંધ નથી. હું આત્મસ્વરૂપે અસંગ છું. ભકતીનું મારે બંધન નથી.
મહદ્ અંશે લોકો પાપ છોડવા તૈયાર છે. પુણ્ય છોડવા તૈયાર નથી. તે પણ 'કમીની, સાત્વિક કર્મની સોનાની જેલ છે. પોતે પુણ્યશાળી છે તેની સૌ જાહેરાત કરે છે, પાપ છુપાવી રાખે છે. જયારે કંઈ ખરાબ કર્મ આપણાથી થાય ત્યારે કહીએ છીએ કે મેં તો બાળકો માટે, સગા-સ્નેહી માટે કર્યું. “ઈશ્વરે કરાવ્યું તે ખરું!” “મારા ખરાબ સ્વભાવનો હું ભોગ બન્યો.” “મેં કોધમાં આ બધું કર્યું.” “પ્રારબ્ધગત થયું.” આ અશાન જ આપણને “સ્વ” સ્વરૂપથી વિરુદ્ધ દિશામાં લઈ જાય છે. આપણે આત્મા ન હોઈએ તો જ પુણ્યશાળી કે પાપી હોઈશું. આત્મસ્વરૂપે પાપપુણ્યથી મુક્ત નિષ્પાપ નિરવા જ આપણું સ્વરૂપ છે.
“અહમ્ અચ” “હું વ્યય-રહિત છું.' અર્થાત્ હું અપરિવર્તનશીલ છું. પરિવર્તનનો કટા છું. રૂપાંતર સર્વ સાકારમાં છે. હું નિરાકાર, મારામાં રૂપાંતર કદી નહીં.મારો વ્યય થતો નથી એટલે હું કદી મારા “સ્વ' સ્વરૂપથી જો ભિન્ન કે વિપરીત થતો નથી. “ व्येति न विपरीतं एति"