________________
(૧૩૯) : મક નિર્ણન: નિયિ: =હું નિર્ગુણ, નિરિ, નિત્ય નિત્યપુર: મતઃ =નિત્ય, નિત્યમુકત, અમૃત છું. દિ. . .. =અને અસત્ : હ: અ ર =અસત્ રૂપ દેહ હું નથી જ્ઞાનમ્ રતિ ડચ સુધઃ =બુદ્ધિમાન અને શાન કહે છે.
જે કોઈ કાળે અનાયાસે પ્રભુ મળી જાય અને પૂછે કે તમે તમારા સદ્ગણ અને દુર્ગુણ બેમાંથી શેનો નાશ ઇચ્છો છો?
તો આપણે શું કહેવાના? મોટા ભાગે દરેકને પુણ્ય સાચવવાં છે; પાપનો સંહાર કરવો છે. દુર્ગુણને ત્યાગી સદ્ગણ સંગૃહીત કરવા છે. જ્યારે ઘણાને પુણ્યશાળી, સદ્ગણીનો ડોળ કરવો છે, દેખાવ કરવો છે, પણ તત્ત્વની ષ્ટિમાં તો બન્ને કેદ છે. બન્ને બંધન છે. આપણે બસસ્ટેન્ડ ઉપર ઊભા હોઈએ ત્યારે ભિખારી વારંવાર માગે છે. મનમાં લાગે છે કે આ ગંદો, ગોબરો, માખો બણબણતો આઘો જાય તો સારુંતેને દૂર ખસેડવા જ કંઈ આપવાની. ઇરછા છે; નહીં કે ‘દયા’ છે. પણ દયા” છે; તેવું ઘા ની હરીમાં સાબિત થાય તો દાન” યોગ્ય ઈન્વેસ્ટમેન્ટ ગણાય. આવા વિચારમાં આપણે ડૂળ્યા છીએ. અચાનક ધારો કે તમારા ભાવિ જમાઈ ત્યાં આવી ચડે તો તરત જ ભિખારીને બોલાવી તમે એક રૂપિયાની નોટ આપી દો છો તે ખરેખર ભિખારીને નહીં, તમારા ભાવિ જમાઈને ચાંલ્લો જ છે. છતાં ‘દયા’નો આવો ભાવ સત્વગુણની વૃત્તિ છે. “હું દયાળું ” તે દંભ છે, પણ તે રસગુણની વૃત્તિ છે, અથવા જો આપણામાં એવો વિચાર જાગે કે બસની આટલી મોટી લાઈન છે છતાં કોઈ ભિખારીને આપતું નથી, આજકાલ લોકો નિર્દય થયા છે. તો તે બીજા માટે હીનતાનો ભાવ તે તમોગુણની વૃત્તિ છે. આવા ગુણ અને તેની વૃત્તિ જ વ્યક્તિ પાસે કર્મ કરાવે છે. ગુણ માત્ર બંધન છે. પછી ' સત્ત્વગુણ કે રજોગુણ, સદ્ગણ કે દુર્ગુણ; પાપ કે પુણ્યનું બધું જ બંધન માત્ર છે. બંધનમુક્ત થવા નિર્ગુણ, નિરંજન, નિરાકારનું જ્ઞાન આવશ્યક છે. તે જ્ઞાન કેવું? ગુણાતીત જેવું. ગુણાતીત એટલે જ આ નિર્ણન: હું ગુણરહિત છું અર્થાત હું સત્વ, રજસ, તમસથી મુક્ત છું. અને કંઈ જન્મેલું છે, રચાયેલું છે, સર્જાયેલું છે તે સર્વ ગુણથી આચ્છાદિત