________________
(૧૩૮) " આમ જાગ્રત અવસ્થા સાથે સંકળાયેલ સ્થળ શરીરનો કોઈ રોગ હું નથી તેથી નિરામય છું અને સ્વપ્ન અવસ્થા સાથે જોડાયેલ સૂક્ષ્મ શરીરનો કોઈ આભાસ નથી તેથી હું નિરાભાસ છું. તે જ પ્રમાણે સુષુપ્તિ સાથે સંલગ્ન કારણ શરીરની સંકલ્પ-વિકલ્પરહિત અશાનમય સ્થિતિ પણ હું નથી તેથી જ નિર્વિકલ્પ છે અને હું તે જ નિર્વિકલ્પ.
| ‘અર માતઃ' હું સર્વવ્યાપક છું. હું, તમે, “આપણે સૌ સર્વવ્યાપ્ત છીએ. સર્વવ્યાસ ન હોઈએ તો કદી | આપણે નિરાકાર કે સૂક્ષ્મ ન હોઈ શકીએ. એટલું જ નહીં પણ દેશ,
કાળ અને વસ્તુથી મુક્ત પણ ન હોઈ શકીએ. અને અજર, અમર, 'અભયની વાત આપણને સ્પર્શી પણ ન શકે.
આમ, સતત પ્રયત્નશીલ રહી શરીરભાવને નાબૂદ કરી વિચારવું કે હું અસત્ દેહ નથી પણ નિરામય, નિરાભાસ, નિર્વિકલ્પ, સર્વવ્યાપ્ત આત્મા છું, તેવી વિચારણા તે જ શાન કહેવાય છે. કેમ કે જેવી વિચારણા તેવી જ વ્યક્તિ થાય છે ....વિચારોની અનુભૂતિમાં વિચારો, વિચારક ગુમનામ થાય છે. બચે છે માત્ર જ્ઞાનરૂપી અનુભૂતિ.
જ્ઞાનના સ્વરૂપની ચર્ચામાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કયું જ્ઞાન? કેવું જ્ઞાન? માત્ર હું દેહ નથી અથવા હું સાક્ષી છું તેટલું જ જાણવાથી જીવનનો પ્રશ્ન હલ થઈ જશે? આપણે જેટલું સમજીએ છીએ તેટલું એ સરળ નથી. જ્યાં સુધી જીવ અને બ્રહ્મનું ઐકય નહીં જણાય ત્યાં સુધી
જીવ જીવ રહેશે અને બ્રહ્મ બ્રહ્મની જગ્યાએ જ જણાશે, તનાબૂદી તે માટે ભેદ નિઃશેષ નષ્ટ થવો જોઈએ. જીવ એ જ બ્રહ્મ છે, બે જુદા 'નથી તો એક થવાનો પ્રશ્ન જ ન હોય; પણ અશાનમાં બ્રહ્મ જ જીવ ? જેમ ભાસે છે, જેમ અંધારામાં દોરી જ સર્પ ભાસે છે. જે ક્ષણે ભેદભ્રાંતિ
દૂર થશે તે જ ક્ષણે અવિદ્યા અને સ્વરૂપ અજ્ઞાનસહિત હું દેહ છું તે ભ્રાંતિ દૂર થશે. અદ્વિતબોધ તે જ જીવ-બ્રહ્મ ઐક્ય અને ઐક્ય-શાનથી જ હેત અજ્ઞાનની નાબૂદી થશે. તે જ દશવિ છે.
निर्गुणो निष्क्रियो नित्यो नित्यमुक्तोऽहमच्युतः। नाहं देहो ह्यसद्रूपो ज्ञानमित्युच्यते बुधैः ॥ २७॥