________________
(૧૪૧). નવી સૂત્રાત્મક ભાષામાં વાત કરશે બોરીયત' બોરિંગ' “માખીઓ મારવી' બામ” “સવા નવ ને પાંચ” “હાઉ ઢ ક્લિ ટાઈમ ઈસ ધ ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ પણ આવા લોકો સ્વયં એક કોયડો’ છે. પ્રોબ્લેમ છે તેવું તે સમજતા નથી. ક્રિયા કે કર્મ કરવાથી શાન્તિ, સુખ, આનંદ મળશે તેવી માન્યતાના
સ્વીકારમાં તેમણે માન્યું છે કે સુખ, આનંદ, શાન્તિ ઉત્પન્ન થઈ શકે તેમ છે, પ્રયત્ન દ્વારા પેદા થઈ શકે તેમ છે. એટલું જ નહીં પણ બહારથી આવવાની વસ્તુ છે. તેથી તેઓ નિરંતર પ્રયત્નશીલ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને શિખામણ પણ એવી જ અપાય છે કે “કિપ થોર માઈન્ડ એંગેજડ” “મનને કાર્યશીલ રાખો” “ગીવ ઓક્યુપેશન ટુ માઈન્ડ” આવી સમાજની ભ્રાંતિએ, યુવા અને વડીલોને ચિંતન, મનન અને મનોમંથનથી વંચિત રાખ્યા; બધે જ લાયન્સ” “ઈનર વ્હીલ” “રોટરી” ‘સ્પોર્ટસ ક્લબ” “ટુડિયો ર૯'; “નાઇટ ક્લબ’ ‘ચિત્રલોક સિને સક્લ’ અનેક સંસ્થા ખુલી. "ક્યાંય’ ‘ચિંતન..મનન’ની ક્લબ ન ખુલી...જ્યાં કંઈ નહીં કરવાનું કરવું તેવું શિક્ષણ અપાય. તેથી જ સમાજ ચંદ્રને સ્પર્શ કરી શક્યો; પણ પોતાના સ્વસ્વરૂપથી સદાય અસ્પૃશ્ય જ રહ્યો, કારણ કે કર્મની ક્રિયાની ધૂન પર સવાર થયો.
પ્રશ્ન એ થાય છે કે કર્મ કે યિા કરે કોણ? જેનામાં ઊણપનો, અપૂર્ણતાનો ભાવ છે તે જ કર્મ કરે. ફીલિંગ ઓફ ઈનકમ્પ્લીટનેસ' જ કર્મની પ્રેરણા આપે છે. આવી ભાવનાથી પીડાતા લોકોનો વળી બીજો પ્રશ્ન છે કે કેવું કર્મ કરું, સકામ કે નિષ્કામ? નિષ્કામ કમીના કર્મની પાછળ પણ કોઈ સકામ વાસના ડોકિયાં કરતી હોય છે. સામાજિક સંસ્થાઓ, પરોપકારી સંસ્થાઓ પણ કુદરતી આફતોના સમયે સેવા જરૂર કરે છે, છતાં જાહેરાત, પ્રોપેગેન્ડાથી મુક્ત થઈ શકતી નથી. ગવર્નર કે મુખ્ય પ્રધાનના હાથમાં દાનનો ચેક આપતા ફોટાઓ તમે વારંવાર અખબારના પ્રથમ પાને, મોટા મથાળા સાથે જોશો. આવી નિષ્કામ પ્રવૃત્તિમાં પણ ક્યાંક ખૂણેખાંચરે...પ્રતિષ્ઠા, સત્તા, મહત્તાની ભૂખ, ભિખારી બની ટૂંટિયું વાળી સૂતી હોય છે. તેથી ફોટામાં લાખોનો ચેક આપનાર દાનવીર, હૃદયમાં ભિખારી થઈ ફરતો હોય છે. આવા સમાજસેવકો, અને સામાજિક સંસ્થાઓ; જે કોઈ કાર્યક્ટો યોજે છે.તેના મૂળમાં અંતે તો ફંડફાળો જ મુખ્ય હોય છે. અર્થાત્ આવી