________________
(૧૩૬) શ્રી રમણ મહર્ષિ પરિચય અને બોધ” આવૃત્તિ પમી: ૧૯૭૮-પાનું ૬૩-૬૪ લેખક: બ્રહાલીન સ્વામી માધવતીર્થ
સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય આપણા વિચારો તે સ્વરૂપમાં સ્થિર નહીં થાય અને વિચારોની અસ્થિરતાથી બુદ્ધિનો રોગ થશે, મન કે ચિત્તમાં શ્રદ્ધા નહીં હોય અને સંશયશંકાથી સભર મન સદાય સંકલ્પ-વિકલ્પમાં ઝોલાં ખાશે તો મનનો રોગ થશે. અને જે વ્યક્તિ હકીક્તમાં તો આત્મસ્વરૂપે અભય છે તેને પણ અસલામતીની લાગણી સતાવશે. ફીલિંગ ઑફ ઈનસિક્યૉરિટી અસલામતીની લાગણી કે ભાવ-તેવી વ્યક્તિને ભયભીત કરશે. જે વ્યક્તિ નિસ્વરૂપે-આત્મરૂપે-સૌનું અધિષ્ઠાન છે તેને આરોપની, સંસારની ભ્રાંતિ પરેશાન કરશે અને મનનો રોગી તે એવું અનુભવશે કે હું તરછોડાયેલ છું, તિરસ્કૃત છું, મારું કોઈ નથી, કેવી મહાન ભ્રમણા! જે સર્વનો આધાર છે-તે માને છે કે હું ' તિરસ્કૃત છું, આ છે પીડા “ફીલિંગ ઑફ રિજેકશન”ની. કોઈ પીડાય છે લઘુતાગ્રંથી કે ગુરુતાગ્રંથીથી, ઈન્ફિરિયૉરિટી કે સુપિરીયૉરિટી કૉમ્પલેક્સ'થી.
જ્યારે કોઈને હિસ્ટીરિયા કે એપીલેપ્સીની ફીટ આવે છે. કોઈ ભ્રમ, વિભ્રમ કે મતિ ભ્રમના ભોગ થઈ પડે છે. પણ આવા શરીરના, મનના કે બુદ્ધિના તમામ રોગ અજ્ઞાનમાં છે. અને “અજ્ઞાની” રોગોનો સરદાર છે, મૂળ છે. જ્યાં સમજાયું કે
मनोबुद्धयहंकार चित्तानि नाहं
વિલનનો શિવોહમ્...શિવોહમ્.... | હું મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્ત નથી પણ ચિત, ચૈતન્ય અને આનંદ સ્વરૂપ સાક્ષાત્ શિવ છું, ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ ભસ્મીભૂત થાય છે.
‘મનું નિરામસિ’ હું આભાસરહિત છું. સૌ ભાસ, આભાસ, પ્રતિભાસ મનમાં પડે છે. હું મન નથી તો ભાસ કેવો? નથી ભુજમાં ભાસ કે હું પાપી છું, નથી આભાસ કે પુણ્યશાળી છું. તેમ જ નથી દુષ્ટ કે દતા, નથી યોગી કે ભોગી, નથી મૂર્ણ કે પંડિત, નથી શાંત કે વિક્ષિણ, નથી પ્રસન્ન સમાધિથી કે નથી ચિંતિત અસમાધિથી, આ બધા જ ભાવ આભાસ કે ભાસ છે. મારામાં આવો કોઈ ભાસ નથી. હું નિરાભાસ છું.