________________
(૧૩૫) પ્રવેશ આપીશું મનમાં, તો માનસિક કે શારીરિક રોગના ભોગ થઈ પડશું. અર્થાત આપણે નીરોગી છીએ તેમ જ વિચારવું?
નાના-ના...“નીરોગી'નો વહેમ છોડો! રોગી-નીરોગી બન્નેમાં શરીરભાવ મોજૂદ છે. હું નીરોગી” છું. “નિરુપાધિક છું. અશરીરી છું.
જે “નીરોગી” છું તેમ માનશો તો તે શરીરભાવનો સ્વીકાર છે. " અને શરીરને દિવ્ય બનાવવા પ્રયત્નશીલ રહેશો.
શરીર પોતે જ ભ્રાંતિ છે. તો તે ભ્રમણાને દિવ્ય કરવાની વાત કેટલી ભૂલ ભરેલી છે તે તમે જાતે જ વિચારો! આ સમાજમાં આવી ભ્રાંતિ માટે ભ્રમણાત્મક વાતોનો ભંડોળ છે. કેટલાકનાં શરીર મૃત થયા પછી જાહેરાતો થાય છે, ફોટા છપાય છે, પુસ્તકો છપાય છે કે તેમનો દેહ હજુ તેવો જ છે. મોં પર કરચલી પણ નથી. એ તો ઠીક! પણ લોકોમાં વાતો પ્રસરે છે કે “એમના મોં પર હજુ તેવું જ તેજ ચમકે છે.” કેટલી મૂર્ખતા! ચેતન ચાલ્યા ગયા પછી તેજ કેવું અને જે ચેતન હોય-તેજ હોય તો તો એ મૃતદેહ કાચની પેટીમાંથી ઊઠીને ચાલતો ન થાય! ખેર!ખોટી વસ્તુને મોટી જોરદાર અસરકારક જાહેરાતની જરૂર હોય છે. સ્વયંસિદ્ધ સનાતન તત્ત્વને સાબિતી કે જાહેરાતની જરૂર નથી.
આ “રોગ” “નીરોગ”ના સંદર્ભમાં એક પ્રસંગ કહું આ વખતે એટલે ઑગસ્ટ મહિનામાં શ્રી અરવિંદના આશ્રમમાંથી શ્રી રમણાશ્રમમાં કેટલાક જિજ્ઞાસુઓ આવેલા હતા. તે વખતે બીજા કોઈએ એવો પ્રશ્ન કર્યો કે, પ્રશ્ન: શ્રી અરવિંદ એમ માને છે કે વિજ્ઞાનમય શરીર એવું થશે કે જેમાં રોગ આવશે નહીં. જે વૃદ્ધ થશે નહીં અને જે આપણી ઇચ્છા વગર મરશે નહીં. ઉત્તર: શરીર એ જ એક રોગ છે, એ રોગ લાંબો વખત રહે એવું ઇચ્છવું એ જ્ઞાની પુરુષોનું કામ નથી. કોઈ પણ રીતે દેહનું અભિમાન છોડવાનું છે. દેહ હું છું એ શાન જેમ આત્મજ્ઞાનને અટકાવે છે તેમ દેહ હું નથી એવું જ્ઞાન જેને બરાબર થાય તેની ઇચ્છા ન હોય તો મુક્ત થાય છે.