________________
(૧૨૯) હું આકારની ક્ષિતિજોમાં પુરાયેલ દેહ નથી માટે જ નથી દશ્ય કે નથી અદાય. જેવું મને દેખાય છે, તેવો હું નથી. અને જેવો હું છું તેવો કોઈને દેખાતો નથી. અરે અન્યને જેવો હું દેખાઉં છું તેવો પણ મને હું જોતો નથી.
લોકો મને એક સ્થળે જુએ છે. જેમ ઘેલછા અને અજ્ઞાનથી ઘણા ભગવાનને છોડી મંદિરને એક સ્થળે જુએ છે. જ્યાં મંદિર છે તેને પવિત્ર સ્થાન માને છે અને મંદિર નથી ત્યાં પ્રભુ નથી તેવું સમજી તેને અપવિત્ર સ્થાન માને છે. હું દેહ નથી. તેથી એક સ્થળે નથી. સર્વ સ્થળે છે તેથી દેહ નથી. અને તે જ કારણથી સાકાર નહીં પણ નિરાકાર છું. માટે જ દેશથી મુક્ત છું. ફી શૉમ સ્પેસ. છતાં મેં અનુભવ્યું કે મારા કદરૂપપણાની જ્યારે ટીકા થઈ ત્યારે હું રડ્યો! તમે સમજ છતાં દુ:ખી થયા! નિંદાથી! હું રડ્યો અર્થાત્ અંતર આંસુ વિના રોયું! મારી ટીકા એટલે જ મારા રૂપના ઘડવૈયા ઈશ્વરનું અપમાન. જે જે સમાજે જયાં જયાં, જ્યારે જ્યારે, કદરૂપ, કુરૂપ શબ્દનો પ્રયોગ કર્યો ત્યાં જ તે જ ક્ષણે તેણે ગતનિયંતાની ઉપેક્ષા, અવહેલના કરી. હવે જ્યારે એ સમાજ નિરાકારની દિશામાં લ્યાણકારી યાત્રા કરી શકશે? માટે જ રહ્યું અંતર મારું. એટલે જે સમાજે “સૌંદર્યને આવકાર્યું ત્યારે તમે હસ્યા” તેમ જ
ને!
ના, ના જ્યાં જયાં “સૌદય' માટે સ્પર્ધા યોજાણી, ઈનામો, ખિતાબો, ઈલકાબો જાહેરાત સાથે વહેંચાયાં ત્યાં ત્યાં ઈશ્વરનાં ભાડૂતી મકાનો જ ચર્ચાયાં, પ્રખ્યાતિ પામ્યાં. મિસ ઈન્ડિયા’, ‘મિસ યુનિવર્સી, ‘મિસ યુનિવર્સિટી.” આવી સ્પર્ધામાં પણ અજ્ઞાતપણે આકારની જ પૂજા સમાયેલી છે, સાકારની જ ઘેલછા દશ્ય છે. સૌંદર્યનો સ્વીકાર, આવકાર, સ્વાગત, સન્માન તે જ અજાણતાં કોઈને કદરૂપ’નું ટાઈટલ આપવાનું દુષ્કર્યો છે. પણ આ બધું જ સ્વરૂપના અજ્ઞાનમાં છે. દહ- સૌંદર્યના ચાહકો, આશકો, સન્માનકર્તાઓને પણ અંતરયામી પરમાત્માનો ખ્યાલ નથી; “સ્વ” સ્વરૂપનું ભાન નથી; અને દેહના આકારની, રૂપની ટીકા કરનાર પ્રભુની રચના અને સ્વયં પ્રભુથી જોજન દૂર છે. જે વ્યક્તિ પોતાને દેહ માને છે, સાકાર, આકાર માને છે તે કદી પરમાત્માને નિરાકાર રૂપે નહીં અપનાવી શકે. આવી ખૂબ વિસ્તાર પામેલી અજ્ઞાનતાનો લાભ લઈ ધર્મને નામે ઢોંગ ચલાવનારાઓએ ધાર્મિક સ્થળોએ સરિતાને કાંઠે સંગમ પર ટીલાટપકાં કરી પથરા ગોઠવ્યા.