________________
(૧૧૬) જેવો ભાસે? ઘણા વર્ણવે છે કે “મને રાત્રે વાદળાંની જેમ પ્રકાશનાં દર્શન થયાં; આખો રૂમ પ્રકાશિત થયો” તે શું આત્મદર્શન કહેવાય? આત્માનો પ્રકાશ દેખાય ખરો? સમાધાન: આવી ભ્રાંતિના સમાધાન માટે આ સુંદર શ્લોક છે. ન તો કોઈને પ્રકાશ જેમ આત્મા દેખાય, ન તો પ્રકાશિત આત્મા કે બ્રહ્મનાં દર્શન થાય. પણ તેવી ભ્રાંતિ જરૂર કોઈ આકારમાં દેખાય. અહીં સ્પષ્ટતા
_ “यत् पदार्थानाम् अवभासनम् तत् आत्मनः प्रकाशत्वम्" જુદા જુદા પદાર્થોનું જે ભાન થાય છે, જે જ્ઞાન થાય છે તેને જ આત્માનું પ્રકાશત્વ કે પ્રકાશસ્વરૂપ કહેવાય છે, અર્થાત્ પદાર્થો છે અને નથી તેવું જ્ઞાન જ પ્રકાશ છે. શાસ્ત્રો, વેદો, ઉપનિષદો અને સ્મૃતિઓમાં વાત આવી કે આત્મા પ્રકાશસ્વરૂપ છે તેથી શબ્દ પકડનાર અને તેનું રહસ્ય ત્યાગનાર ઘણા સમજ્યા કે આત્મા સાકાર વસ્તુ છે. તેને પણ સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, અગ્નિ કે બેટરી જેવો પ્રકાશ હશે. પણ તેવો કોઈ પ્રકાશ આત્માને નથી તેવી અહીં સ્પષ્ટતા છે. “ગમ માદ્ધિ સતત રીતિઃ મવતિ” “આત્માને અગ્નિ આદિ પદાર્થોની જેમ પ્રકાશ નથી” પણ જેનાથી આપણને જ્ઞાન થાય છે તે જ્ઞાન જ પ્રકાશરૂપ હ્યું છે. એનો અર્થ એ છે કે આત્મા જ્ઞાનમય
કે પ્રકાશમય છે. આત્માનો પ્રકાશ કદી અસ્ત થતો નથી જ્યારે બાહ્ય { પ્રકાશનો અસ્ત થાય છે. સૂર્ય અને ચંદ્રનો પણ ઉદય અને અસ્ત છે. વીજળી પણ અંધારામાં ચમકી ચાલી જાય છે. અગ્નિ પણ પેટાવ્યા પછી ઓલવાઈ જાય છે. જ્યારે આત્મપ્રકાશ તો સ્વપ્નમાં પણ અસ્ત પામતો નથી. સ્વપ્નસૃષ્ટિનું જ્ઞાન પણ તેના જ પ્રકાશથી થાય છે. અરે જાગ્રતમાં જે સંસારનું જ્ઞાન થયું તે પણ આત્મપ્રકાશથી અને તે જ જાણેલો - જોયેલો સંસાર સુષુપ્તિમાં નથી તેવું જે સંસારના અભાવ' (નૉન એકઝિસ્ટન્સ”)નું ભાન કે જ્ઞાન થાય છે તે પણ આત્માના પ્રકાશના લીધે જ છે. ઊંઘમાં આત્મા ઊંઘતો નથી એટલું જ નહીં પણ તે અંધકાર સાથે જાગે છે. બાહ્ય પ્રકાશની હાજરીમાં અંધકાર હોતો નથી જ્યારે આત્મા અને અંધકાર સાથે હોય છે. તેથી જ આપણે કહીએ છીએ કે “અહીં અંધારું છે.” આ અંધકારનો જ્ઞાતા કોણ? પ્રકાશક