________________
(૧૨૧)
સંતોષવા; અને કોઈ રાત-દિવસ ચિત્તને ધનવાન બનાવવા હૃદયમાં જ ચિંતાની હોળી સળગાવી બેઠા, વિપત્તિને, આપત્તિને સંપત્તિ માની દોલતની ઈમારત ચણવા બેઠા છે.અંતે આ તમામ દોડના પાયામાં પ્રેરણા પડી છે ખોટા તાદાત્મ્યની કે શરીર મારું છે. પણ કદી ભૂલીએ નહીં કે શરીરને પહેલવાન બનાવવાથી, મનને હોદ્દે અપાવવાથી, બુદ્ધિને ખૂબ ખૂબ ભણાવવાથી અને ચિત્તને ધનવાન બનાવવાથી કદી આપણે ચારિત્ર્યશુદ્ધિ કે શાન્તિ નહીં જ મેળવી શકીએ. ધનવાનોના મોહક મહેલોમાં ખારાં થયેલ જીવન કેદ છે.
“નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજાં રહીને કહે છે જ્ગતને ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે સમુદ્રનાં જીવન ખારાં થઈ ગયાં છે.
માની લો કે “શરીર આપણું' છે. સમજાવી દો મનને કે હું શરીર નથી પણ શરીર મારું છે.
જો શરીર આપણું છે તો શા માટે આપણી બુદ્ધિને સાત્ત્વિક કરતા નથી? શા માટે મનને શાંત કરતા નથી? કેમ જીવનને સન્માર્ગે વાળતા નથી? ઇન્દ્રિયોને ક્ષીણ થતી કેમ અટકાવતાં નથી?...
વિચારી તો જુઓ કે શરીર આપણું કે પરાયું?
હવે જાણ્યું કે ભાડાના ઘર જેમ પરાયું છે... બરોબર વિચારી લો...
પાકો નિશ્ચય કે પાકું છે.
જો શરીર પણ પરાયું અને પાકું છે તો પછી...
આ અનાચાર કોના માટે?
કરચોરી, સેલટેક્સ ચોરી, દાણચોરી, પરીક્ષામાં પેપર ચોરી; ઇલેક્શનમાં કેન્ડિડેટની ચોરી, બેલેટબોક્સની ચોરી, અરે! મંદિરમાં દાનપેટીની ચોરી..., આ બધું કોના માટે? જો શરીર પણ પરાયું છે તો...વેડફાતા જીવનને જોતાં સમજાય છે કે...
1
“જોઉં છું હું આંસુમાં તો એટલું જોઉં છું: નેકી ડૂબી ગઈ ને પાપો ફ્ક્ત તરે છે.’
હું શરીર નથી, શરીર મારું નથી, તો પાપ કોના માટે? પવિત્રમાં