________________
(૧૨૩)
જ્ઞાનનું સ્વરૂપ સ્વરૂપના અજ્ઞાન અને શરીર સાથેના ભ્રાંતિ ભરેલા તાદાત્મની ચર્ચા થયા પછી હવે શ્લોક ૨૪થી ૨૮ સુધી ગ્રંથ વિચારપ્રવાહ સાથે આગળ પ્રવાસ કરે છે અને “જ્ઞાન” શું છે તે સમજાવે છે.
લૌકિક દષ્ટિએ વિદ્વતાને શાન કહેવાય છે. તો કોઈ માહિતી (ઈન્ફરમેશન) ને જ્ઞાન કહે છે. કોઈ પ્રયોગ અને નિરીક્ષણનાં તારણોને શાન કહે છે. વાસ્તવમાં અહીં જે જ્ઞાનની વિચારણા થશે તે કોઈ વિષય, વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિનું જ્ઞાન નથી. આ એવું જ્ઞાન છે કે જેની પછી નોર્મની ‘’ અને ‘ના’ કે અંગ્રેજીમાં “ઓફ ન લાગી શકે. “ધીસ ઈઝ નોટ નોલેજ “ઓફ સમથિંગ - ધીસ ઈસ નોલેજ કેપીટલ કે ” અર્થાત આ તો ચર્ચા છે બીજાની નહીં; મુજથી દૂર છે તેની નહીં, મારી અંદર જ છે તેની પણ નહીં. જે સર્વસ્વ - સર્વ સ્થળે છે છતાં નથી દૂર કે પાસ, તેવા મારા આત્મમય નિજ સ્વરૂપની વાત છે. મારે મારું જ જ્ઞાન મેળવવાનું છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિક કહી ગયો, “મેં દૂર તારા શોધ્યા; નવા નિયમો - સિદ્ધાંતો શોધ્યા; પદાર્થો તોડયા; તેના રહસ્યો જાણ્યાં પણ સૌનો શોધક હું કોણ તે શોધી શક્યો નથી. તેથી કોઈ પણ વિષયની, પદાર્થની જાણકારી કે માહિતીનો સંગ્રહ “ઈન્ફરમેટિવ નોલેજ એ જ્ઞાન નથી. અને જે આત્મજ્ઞાન કે બ્રહ્મવિદ્યા છે તે તો નથી પ્રત્યક્ષ કે પરોક્ષ પણ અપરોક્ષ છે. જ્યારે બાકી બધીજ વિદ્યા કાં તો પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન આપે છે. સાચું જ્ઞાન તો એ જ છે કે જે દેશ', કાળ” અને “વસ્તુથી અપરિચ્છિન્ન આત્મતત્વને પોતાથી અભિન્ન, અભેદ જણાવી શકે. જીવ mત અને ઈશ્વરનું ઐક્ય બતાવી શકે; વૈવિધ્યમાં ઐક્ય અને ઐક્યમાં વૈવિધ્યનાં દર્શન કરાવી શકે. આવું નિઃશંક અભેદ અને અભય પ્રગટાવનાર આત્મજ્ઞાન જ જ્ઞાન છે, જેની ચર્ચા હવેના પાંચ શ્લોકથી કરવામાં આવી છે.
ब्रह्मैवाहं समः शान्त: सच्चिदानन्दलक्षणः।
नाहं देहो ह्यसपो ज्ञानमित्युच्यते बुधैः ॥२४॥ સમ: શાન્તિ: ત્રિલાલતા = સમ, શાજા અને સચ્ચિદાનંદ લક્ષણब्रह्म एव अहम्
= યુક્ત જે બ્રહ્મ છે તે જ હું છું,