________________
(૧૧૮) न तद्भासयते सूर्यो न शशांको न पावकः। यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम॥
શરીર તાદાભ્ય. અનેક જન્મોના સંસ્કાર એવા દઢ થયા છે કે આપણે જેના સાથ, સંપર્ક અને સાન્નિધ્યમાં આવ્યા તે જ હું છું તેમ સમજી બેઠા, જે ઘરમાં રહીએ છીએ તે ઘરને જ પોતાનું સ્વરૂપ સમજીએ તો ઘરને આગ લાગવાથી આપણે ભડકે બળશું, વરસાદમાં ભીંજાઈ જઈશું, તડકામાં તપી જઈશું, પવનમાં કપૂર જેમ ઊડી જઈશું, જીર્ણ થઈશું પડી જઈશું. આ તો માનને તલવાર સમજવાની વાત થઈ. પણ એવી જ ભૂલ અને ભ્રાંતિમાં જીવન અટવાઈ ગયું છે. તાદાત્મ એવું ગહન, ઘેરું થઈ ગયું છે કે ઊંધમાં પણ કોઈ શરીરનું નામ દઈ બોલાવે તો ઊભા થઈ જઈએ છીએ. અને દુ:ખમાં નામના નાશને યાદ કરી રોવા લાગીએ છીએ. કારણ, વિવેક દ્વારા નામી અને અનામીનો ભેદ સમજાયો નથી તે અહીં સમજાવવાનો પ્રયત્ન છે.
देहोऽहमित्ययं मूढो, धृत्वा तिष्ठत्यहो जनः।
ममायमित्यपि ज्ञात्वा घटद्रष्टेव सर्वदा॥२३॥ ઘટદ્રષ્ટા રૂવ મયમ્ રૂતિ સર્વલા જ્ઞાતા =ધડાને જેનાર જેમ કહે છે કે,
આ ઘડો મારો છે” એટલે હું ઘડાથી ભિન્ન છું તેમ દેહને જેનાર કહે છે કે “હું દેહનો દ્રષ્ટા છું “તેથી દેહ મારો છે” અને હું આત્મા દેહથી ભિન્ન છું. મપિ .... .... આમ છતાં મય : મર| તિઆ દેહ જ હું છું એવું મરો મૂઢ: નન: કૃત્વા તિષ્ઠતિ મૂઢ પુરુષ સમજે છે તે આશ્ચર્યની વાત છે. જે જે મારું છે તે હું નથી. જે જે આપણું છે તે “આપણે” નથી. જે જે તારું છે તે તું નથી. સદા મારું અને હું તારું અને તું; આપણે અને આપણું જુદા જ રહ્યા છે. એક થયા નથી. થઈ શકે તેમ પણ નથી. હું ઘડાનો દ્રષ્ટા છું. ઘડો દશ્ય છે. દ્રષ્ટા અને દશ્ય કઈ રીતે એક હોય! જગતમાં જોવાયેલું અને જણાયેલું જાણનાર અને જેનારથી ભિન્ન હોય છે. તદ્ઉપરાંત કેટલીક