________________
(૧૧૭) કોણ? જ્યારે ચંદ્ર સૂર્ય, વીજળી, અગ્નિ ન હોય ત્યારે કહે છે કોણ કે અંધારું છે? માત્ર શાનસ્વરૂપ આત્મા.
હુ ઈસ ઈલ્યુમીનેટર ઑફ ડાર્કનેસ? અંધકારનો પ્રકાશક કોણ? અંધારું જાતે કહેતું નથી. અંધાર અંધારને ન જુએ. અને બાહ્ય પ્રકાશ તો અંધકારને જોઈ જ ન શકે કારણ કે પ્રકાશ અને અંધાર સાથે જીવી ન શકે. તેથી આત્માનો જ એક પ્રકાશ છે જે અંધારા સાથે અસ્તિત્વમાં હોય છે અને અંધારાને અર્થત પદાર્થોના “અભાવ-નૉન એકઝિસ્ટન્સને પણ તે જાણે છે. માટે જ શ્લોકમાં કહ્યું છે કે “માં થતો નિરિ"રાત્રે આત્માની સાથે અંધારું પ્રતીત થાય છે. અર્થાત્ આત્મા અજ્ઞાનનો, અભાવનો, અંધારાનો પણ શાતા કે પ્રકાશક છે. જે આપણામાં આત્મા નથી તો જાગ્રત, સ્વપ્ન, સુમિનું જ્ઞાન થાય કોને? હું (આત્મસ્વરૂપ) છું માટે જ શેય છે, જ્ઞાત કંઈ છે, દશ્ય છે. તેથી હું અને જ્ઞાન એક છીએ “જ્ઞાન” જ મારું સ્વરૂપ છે. છું હું પ્રકાશક સર્વનો. હું છું તેથી જ સૂર્ય પ્રકાશી રહ્યો છે, ચંદ્ર શીતળ ચાંદની પાથરી રહ્યો છે, વાદળથી ઘેરાયેલી રજનીના અંધારમાં ચમકી અને ચાલી જનાર વીજળીનો ચમકાર મારો છે. અરે, ઘનઘોર ઘટામાં સંતાકુકડી રમનાર સિતારાની આંખમાંનો તરવરાટ મારો છે. હું છું તેથી તો “અસ્તિત્વ છે. હું નથી તો કંઈ નથી. મારા પ્રકાશમાં નથી ઉદય, નથી અસ્ત. નથી મારા જ્ઞાનમાં વૃદ્ધિ, નથી અંત. એવો હું જ્ઞાનસ્વરૂપ છું, પ્રકાશરૂપ છું. અંધાર સાથે આવું છું. ઊંઘમાં હું જાણું છું. હું જાણું છું તેથી જ જ્જત જાગે છે. તેથી જ શ્રુતિએ કહ્યું ને તત્ર સૂર્યો મતિ વંત્રતા નેમા વિદ્યુતો માન્તિ कुतोऽयमग्निः। तमेव भान्तं अनुभाति सर्व, तस्य भासा सर्वमिदं विभाति॥ આત્માને પ્રકાશિત થયા ત્યાં નથી સૂર્ય, ચંદ્ર કે વીજળી. તો પછી અગ્નિની તો વાત જ ક્યાં? તે તો સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. તે પ્રકાશે છે, ભાસે છે, પછી સૂર્ય, ચંદ્ર, વીજળી, અગ્નિ વગેરે ભાસમાન થાય છે. અને આત્મપ્રકાશથી જ જડ, ચેતન જે કંઈ છે તેના અસ્તિત્વનું ભાન થાય છે. અર્થાત્ સર્વ કંઈ પ્રકાશિત થાય છે. અને તેવું પરબ્રહ્મનું, આત્માનું સ્વરૂપ જ પરમધામ છે જ્યાં શશી, સૂર્ય કે અગ્નિનો પ્રકાશ નથી, માત્ર જ્ઞાનરૂપી આત્મપ્રકાશ છે. જે ત્યાં પહોંચે છે તે કદી જન્મમૃત્યુના આવાગમનચકમાં પાછો ફરતો નથી. તેથી કૃષ્ણ પરમાત્માએ ગીતામાં ઘોષણા કરી કે,