________________
(૫) મારી અંદર જ કૂદીને હું મને સંસ્પર્શ કરી શક્યો. જેમ સૂર્યન અંધકારનો પરિચય જ નથી • તેમ હું તો શાનસ્વરૂપ છું. ક્યાં છે મને સ્પર્શ અજ્ઞાનનો! ના મને પરિચય મૂઢતાનો, મુખતાનો, અજ્ઞાનનો. એ તો જેમ સૂર્યપ્રકાશના અભાવને લોક અંધાર કહે છે. તેમ જ “સ્વ” સ્વરૂપાનુભવના અભાવમાં જ લોકો પોતાને અજ્ઞાની કહે છે, “સ્વ” સ્વરૂપના સાથ ને સંગાથમાં, તેના દિવ્ય પ્રકાશમાં હું સાક્ષાત્ શાન છું. આઈ એમ અવેરનેસ, કૉન્સિયસનેસ. હું નિત્ય ચૈતન્ય છું. ચૈતન્યઘન એવો હું સર્વનો જ્ઞાતા છું. મારા માટે કયારેય કાંઇ પણ અજ્ઞાત અને અનભિન્ન નહોતું, નથી, નહીં રહે એવો નિત્યચૈતન્યસ્વરૂપ હું જ્ઞાતા છું સમસ્ત બ્રહ્માંડનો અને બ્રહ્માંડ મારા માટે શેય વિષય છે. જે જે શેય છે તે તે દૃશ્ય, સાકાર અને આદિ - અંતવાળું છે. જ્યારે હું અદશ્ય, નિરાકાર, અનાદિ અનંત, સર્વનો જ્ઞાતા છું.
જેનો હું જ્ઞાતા છું, જે મારા માટે શેય છે, તેથી તદ્દન ભિન્ન હું... અને સૌ દશ્ય અને તમામ શેય પદાર્થોનો પ્રકાશક જ્ઞાનસ્વરૂપ હું.
ત્રણ અવસ્થાઓ-જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ-નો;
ત્રણ શરીરો-સ્થૂળ, સૂક્ષ્મ, કારણ-નો;
ત્રણ ગુણ-સત્વ, રજન્સ, તમસ-નો; પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, પંચમહાભૂત-અને જ્યાં ; જ્યાં પંચ-નો પ્રપંચ હોય તે સર્વ દશ્યપ્રપંચનો જ્ઞાતા હું જ છું. ત્રણ-ત્રણની ત્રિપુટી ભલે પછી તે દશ્ય, કટા, દ્રષ્ટિ કે જ્ઞાતા, જ્ઞાન, શેય હોય -હું તેવી ત્રિપુટીનો જ્ઞાતા-તમામ ત્રિપુટીથી ભિન્ન અસ્પૃશ્ય તત્વ છું. જ્ઞાનસ્વરૂપ હું, માટે જ સર્વનો જ્ઞાતા અને સર્વને સ્કૂર્તિ = ચૈતન્ય પ્રદાન કરનાર હું અજર, અમર, અનામી, અભેદ, અભય, અનંત, સર્વજ્ઞ, જ્ઞાનસ્વરૂપ સર્વનું અંતિમ અદ્વૈત લક્ષ્ય હું.
૬ તાલી”. હું સર્વનો સાક્ષી છું. આ તો પારમાર્થિક વિચારણા ચાલે છે, ત્યાં વ્યાવહારિક કોઈ પ્રસંગના સાક્ષીની વાત નથી, નથી કોઈ ઘટના કે બનાવના સંદર્ભમાં સાક્ષી કોઈ. પણ આત્મવિચારમાં વિચારનો કે જે કોઈ ઘટના, પ્રસંગ, બનાવ સર્જાય છે તે સૌ સમયની અંદર બને છે તે સમયનો, કાળનો હું સાક્ષી છું, અર્થાત નથી હું સમયમાં, નથી સમય મારામાં. હું કાળથી ભિન્ન તેનો સાક્ષી છે. તેથી જ હું સમયથી મુક્ત છું. સમયની પેલે પાર હું આઈ. એમ કહી ફોમ ટાઇમ. નથી હું સમયમાં આવ્યો, નથી સમયમાં જવાનો;