________________
(૧૦૭) કદી આત્માથી ભિન્ન થતો નથી, ભયને પ્રાપ્ત થતો નથી. કારણ કે જેને તે જાણે છે તે જ તે છે તેવું તેને સમજાય છે. અર્થાત જ્ઞાનને સ્પર્શે છે તે સ્વયં જ્ઞાનમય છે તેવું અપરોક્ષ રીતે અનુભવે છે અને આવી ? અનુભૂતિ જ તેનામાં જાણવાની જિજ્ઞાસાને જૈહર જેમ જાતે જ જલાવી દેવાની જ્યોતિ પ્રગટાવે છે. જેના દ્વારા બધું જ જાણી શકાય તેને જ જે જાણી લે, તેને બાકી રહે શું જાણવાનું? જ્ઞાતાના શેયને જે જાણે તેના જીવનમાં શેય શેષ રહેતું જ નથી. માટે જ કહ્યું છે કે બ્રહ્મને જાણનાર બ્રહ્મ જ થઈ જાય છે. આ છે પ્રતાપ જાણવાનો! છે આ ચમત્કાર જ્ઞાનમય આત્માનો! કે જે આત્માના જ્ઞાનમય સ્વરૂપને જાણે તે પણ આત્મા જેવો જ્ઞાનસ્વરૂપ, સસ્વરૂપ અને અનનાસ્વરૂપ થઈ જાય. આત્મા છે કેવો? શ્રુતિએ કહ્યું “સત્ય જ્ઞાન અને બ્રહ્મ” તે સત્ જ્ઞાન અને અનન્ત સ્વરૂપ છે. તે સૌને જાણે છે પણ તેનો જ્ઞાતા તેથી પર અન્ય કોઈ નથી. માટે આત્માને જ્ઞાનમય કહ્યો છે.
હવે શંકા થાય છે કે આત્મા જ્ઞાનમય છે તેથી તેને દાચ પવિત્ર પુષ્ય: કહ્યો હશે પણ શરીરને અશુટિ અપવિત્ર હેવાની જરૂર શી? શરીર તો મોક્ષનું સાધન છે તો અપવિત્ર શા માટે? સમાધાન: શરીર કર્મનું ફળ છે. કર્મ વાસનાપ્રેરિત છે. વાસના જ માનવીને જુદી જુદી યોનિઓમાં લઈ જાય છે અને વારંવાર મળમૂત્રના સંગમ જેવા ગર્ભમાં કેદ કરે છે. એ સંગમમાંથી નીકળેલ ગમગીન દેહ, કરેલાં કર્મનું ફળ ભોગવી સુખીદુ:ખી થયા કરે છે તેથી જ તે અપવિત્ર છે. જ્યારે આત્માને નથી ગર્ભવાસ તેથી પવિત્ર છે. નથી આત્મા કર્યા તેથી નથી દુ:ખ કે સુખ જેવી ભ્રાંતિ. તેથી જ તે પાવન છે. જ્યારે શરીરમાં કર્મનું બીજ પડેલું છે. યાદ રાખીએ કે શરીર પોતે ફળ છે ગત જન્મના કર્મનું પણ જેમ દરેક ફળમાં બીજ હોય તેમ દેહમાં કર્મનાં બીજ છે. તેથી શરીર એક વાર ફળ ભોગવી અટકતું નથી પણ કર્મબીજથી ઉત્તેજાય, પુન: કર્મ કરી તેના ફળ ભોગવવા વારંવાર યોનિ - શરીર પ્રાપ્ત કરે છે. અને શરીરનો “પુના નનને પુનાજ મા પુન નનન નરેયન”