________________
(૧૦૦)
“સનામિક સર્વવનિ મમ્મત ગુલે ત” (ગી.અ૪) જેમ લાકડાંઓને અરિ બાળી ભસ્મીભૂત કરે છે તેમ જ્ઞાનારિા કે આત્મદર્શન તમામ કર્મોને ભસ્મીભૂત કરે છે.
આમ વિચારતાં આત્મા ‘શાનમય' છે માટે પવિત્ર છે. જે પુણ્ય પવિત્ર છે તે જ અપવિત્ર શરીરની શંખલાથી સદા માટે મુક્ત કરાવી શકે તેમ છે. આત્માનું સ્વરૂપ જ શાન છે. અને ‘શાન” તે જ આત્મા છે. તેથી ભગવાને ગીતામાં કહ્યું કે
“નહિ અને ઉi વિ ઇ વિદ્ય' (ગી.અ. ૪) આ સંસારમાં શાનથી વધુ પવિત્ર કોઈ નથી, કાંઈ નથી. માટે આત્મજ્ઞાનને, સ્વરૂપના શાનને, સાચા સ્વરૂપને જણાવતી વિદ્યાને રાજવિદ્યા કહી અને તેને પવિત્ર કહેવામાં આવે છે, સર્વોત્તમ પણ કૃતિ દ્વારા કહેવાઈ.
“વિદા રાગગુ€ પવિમુર્હત્તમ” (ગી.ઓ. ૯). આમ વિચારતાં આત્મા પરમ પવિત્ર, જ્ઞાનમય ચૈતન્ય; જ્યારે શરીર અપવિત્ર, જડ, શાનરહિત બેનું ઐકય કેમ સંભવે? છતાં જે કોઈ ઐક્ય દર્શન કરી શરીરને જ આત્મા સમજે તો માનવું કે તેણે જીવતાં જ પોતાની ચિતા સળગાવી છે.
आत्मा प्रकाशक: स्वच्छो देहस्तामस उच्यते।
तयोरक्यं प्रपश्यन्ति किमज्ञानमत: परम्॥२०॥ માત્મા પ્રારા: વ: આત્મા પ્રકાશક અને સ્વચ્છ છે, તે તામસ =દહ તમોગુણનું કાર્ય છે, તો કપત્તિ =સે બન્નેનું ઐક્ય જેનાર માટે અતઃ મું અજ્ઞાન વિષ્ણ? =આથી વધુ અશાન કયું?
આત્મા પ્રારા છે: આત્મા પ્રકાશક છે અર્થાત્ સર્વનો શાતા છે તે વાત આગળ ચર્ચાઈ ગઈ. પ્રકાશક હોવાથી જ આપણે ત્રણ શરીર, ત્રણ અવસ્થા તથા મન, બુદ્ધિ, ઈન્દ્રિયોના શાતા તેઓથી ભિન્ન છીએ. જેમ સૂર્ય ગંગાજી અને ગટર બન્નેને પ્રકાશિત કરે છે છતાં નથી તે પવિત્ર કે અપવિત્ર થતો તેમ આત્મા સારા-નરસા, પાપી-પુણ્યશાળી સૌને પ્રકાશિત કરે છે છતાં તેમનાથી અસંગ રહે છે. સુખદુ:ખને પ્રકાશિત કરે છે છતાં આત્મા નથી સુખી નથી દુ:ખી, અને જે વ્યક્તિ પોતાને આવો પ્રકાશક આત્મા માને છે તે પણ સુખદુ:ખથી પર થઈ જાય છે. આત્મામાં રાગ રૂપી અહંતા-મમતા રૂપી મળી નથી તેથી જ તે સ્વચ્છ છે, શુદ્ધ છે.