________________
(૧૦૫) આમ દેહ અને આત્મા બન્ને એકબીજાથી ભિન્ન અને જુદા છે. એક સૂક્ષ્મ, એક ખૂળ; એક દશ્ય, એક અદશ્ય, એક નિયામક, એક નિયમ. આ છતાં જે કોઈ પંચકોષવાળા દશ્ય જડ શરીરને આત્મા માને તો તે વાત દવ” કે પ્રભુને ભૂલીને, છોડીને સિમેન્ટ, ઈટ, પથ્થરના મંદિરને જ દેવ” માનવા જેવું છે. આ તો મકાન ને કે “ભવન’ને ભગવાન માની માલિકને ભૂલવાની ભયંકર ભૂલ કરવા જેવું છે, પણ અત્યારે આવી ભૂલ-ભ્રાંતિ-ભ્રમણામાં સમાજ ભૂલો પડ્યો છે. આત્માને છોડી હાડમાંસ-ચામની જ પૂજા શરૂ થઈ છે. તેથી શ્રી રંગ અવધૂતજી કહે છે:
“આપપંથી બધા આત્મ નવ ઓળખે
દેવને ભૂલી મંદિર પૂજે.” “માત્મા મંતઃ' એ એક બીજો સંકેત આપી જાય છે કે તેને બહાર શોધવાની જરૂર નથી. તે બધે જ છે તેને માટે તીર્થોની યાત્રા નિરર્થક નીવડશે. જે નાના શરીરમાં જ જડતો નથી તે લાખો-કરોડોના ખર્ચે બાંધેલ, અનેક એકરમાં પથરાયેલા કે બહુમાળી મકાનોમાં, ઊંચી ઊંચી ઇમારતોમાં કઈ રીતે તમે શોધી શકશો? અને કેવી મૂર્ખતા! ૧૪ ભુવનનો માલિક; ૧૪ માળની ઈમારતમાં આવશે? સંતો, મહંતો, ધર્મધુરંધરોના પ્રપંચે બંધાયેલા પથ્થરોમાં તે કેદ થશે? પણ પથ્થરને પરમાત્મા સમજી બેઠેલા તમને પથ્થરનો જ પરિચય કરાવશે. કારણ કે ચેતનને તો તેઓ પણ જાણતા નથી. ભૂલેચૂકે જે જાઓ હરદ્વાર તો ઘોડાગાડીવાળા કોઈ સૂચના વિના આવાં મંદિરોની મુલાકાત કરાવશે. કારણ તેમને પણ મહિને યાત્રી દીઠ કમિશન મળતું હોય છે. તેથી જ તો શંકરાચાર્ય ભગવાને કહ્યું “આત્મા મંત: તેને બહાર તો અજ્ઞાનીઓ અમાસના અંધારામાં, કાળા ચશમાં પહેરી, કાળી બિલાડીની જેમ શોધી રહ્યા છે, સમાજની આવી દુર્દશા જોઈ સંત કબીરની વાણી વીજળી જેમ પ્રકાશ અને કડાકા સાથે ત્રાટકે છે:
“ો નેનનમેં પૂતરી, યાં ખાલિક ઘટમાંહિ,
મૂરખ લોગ ન જાનહીં, બાહર ટૂટન જાહિ” “જેમ આંખમાં કીકી છે તેમ દેહમાં mતનો નાથ વસેલો છે. મૂખન તેનું જ્ઞાન નથી. માટે તેને શોધવા બહાર ભટકે છે.” આગળ કહે છે કે “જેમ તલમાં તેલ રહેલું છે અને ચર્મમાં અરિા સમાયેલ છે તેવી