________________
(૧૦૩)
‘ફુલર’ અને બીજો ‘ફુલ' છે. રાજા કંઈ કરે નહીં પણ બીજા પાસે કાર્ય કરાવે છે. રાજાના માત્ર ઈશારાથી જ પ્રધાનો, મંત્રીઓ, તંત્રીઓ, કાર્ય ચલાવે અને નગરનું રાજતંત્ર ચાલે. તેમ આત્મા પોતે કંઈ કરતો નથી. તેને તો ઈશારાની પણ જરૂર નથી. માત્ર તેની હાજરીથી, અસ્તિત્ત્વથી જ શરીર પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરે તંત્રોને ચલાવે છે. તેથી જ કહ્યું, ‘શરીર, નિયમ્ય છે.’ ‘વેહ નિયમ્ય’
જે આત્મા પોતે કાર્ય કરે તો તો કર્તા થઈ જાય. તે તો સાક્ષીમાત્ર છે. શરીર જગત સાથે સંદેશાવ્યવહારનું તમામ કાર્ય કરે છે. તથા આત્મા અકર્તા, અભોક્તા છે. તેથી જ કૃષ્ણ પરમાત્માએ પણ ભગવદ્ગીતામાં કહ્યું કે “નવ દારે પુરે પેઢી નેવ વંન્ ન જાયન્’॥ (ભ.ગી. ૫.૧૩)
આત્મા તો નવ દ્વારવાળા પુરમાં, શહેરમાં રહે છે અને તે નગર તે જ શરીર. આમ, આત્મા શરીરથી ભિન્ન છે તેવું માનનાર પોતે કંઈ જ કરતો નથી, કરાવતો નથી.
તેથી અહીં વિપરીત અર્થ ન લેતાં આત્મા નિયામક છે અર્થાત્ તે કર્તા છે તેવું નહીં. તે શરીર પાસે કાર્ય કઈ રીતે લે છે નહીં સમજાય તો આપણે આત્માને કર્તા માનવી ભૂલ કરી બેસીશું.
સમજાવવા આત્માને નિયામ ઉપાધિ બક્ષી, જે ખરેખર નિરુપાધિક તત્ત્વ છે. પણ સમજવાનું કે દેહને પોતાને સત્તા અને સ્ફૂર્તિ નથી, એક્ઝિસ્ટન્સ (અસ્તિત્વ) એન્ડ કોન્સિયસનેસ નથી. દેહ તો જડ છે. તે કઈ રીતે કાર્ય કરી શકે? પણ આત્મા તેને સત્તા અને સ્મ્રુતિ પ્રદાન કરે છે માટે
જ આત્મા નિયામક છે અને દેહ નિયમ્યજ
નિયમમાં રહી કાર્ય કરનાર
છે.
=
‘આત્મા અંતઃ ઃ વાઘ’ ‘આત્મા અંદર છે અને દેહ બહાર છે.' તેમ કહેવાનો અર્થ એવો નથી કે આત્મા અંદર છે તેથી બહાર નથી. અંતઃ એટલે અંદર નહીં પણ સૂક્ષ્મ છે. અને શરીર હોવાઇ એટલે દૃશ્ય છે, સ્થૂળ છે તેવો અર્થ છે. આત્મા અન્નમયકોશ, પ્રાણમયકોષ, મનોમયકોષ, વિજ્ઞાનમયકોષ અને આનંદમયકોષથી પણ સૂક્ષ્મ છે માટે તેને અંતઃ અંદર કહ્યો છે.