________________
(૧૦૧)
ફ્તાર કરીએ છીએ.
આત્મા વિનિા: --આત્મા નિરવયવ છે.
" विनिष्कलो विशेषेण निर्गतकलो निरवयव इत्यर्थः "
તાનો અર્થ જે ‘કાળ’ કરીએ તોપણ ‘કાળ’ અને કણ કણથી બનેલો દેહ તે બન્ને શરીરને જ છે, આત્માને નહીં. માટે આત્મા વિનિવૃત્ત તેવું કહ્યું છે.
હું શરીર છું અથવા આત્મા જ શરીર છે તેવી ઘોર ભ્રાંતિ જ વ્યક્તિને અજ્ઞાનના ઘનઘોર અરણ્યમાં ઘસડી જાય છે. ‘હું શરીર છું” તેવી માન્યતા જ મને ‘પાપી, પુણ્યશાળી' બનાવે છે, ‘નાનો મોટો' ઘડે છે, ‘સુખી, દુ:ખી' સર્જે છે. શરીરભાવની ભ્રમણા જ આપણને જડ બનાવે છે. આપણે તો ચૈતન્યઘન કે ચેતનના સમુંદર છીએ....છતાં અજ્ઞાનથી મોતના ચક્કરમાં ડુબીએ છીએ. રખે આપણે માનીએ કે આપણે ચેતન વ્યક્તિ છીએ, પરંતુ સાક્ષાત્ ચૈતન્ય જ આપણું સ્વરૂપ છે. ચૈતન્ય તત્ત્વ કે સત્ત્વ જ મારું અલૌકિક રૂપ છે.
આત્મા અને દેહને ભિન્ન કરવાની દિશામાં પ્રયાણ કરવું તે જ આત્મવિચારણા, તે જ પંથ છે પાવન સાક્ષાત્કારનો, તે જ સ્વરૂપ ખોજની આંતરઝંખના છે. આત્મા અને દેહ અજ્ઞાનથી ખૂબ ભળી ગયા છે. તેમને છૂટા કરવા નીચેની રીતો વિચારીએ.
ગતમાં માત્ર બે જ વસ્તુ છે:
(૧)જ્ઞતા, (૨)જ્ઞેય. (૧)જ્ઞાતા અર્થાત્ જાણનાર, (૨)જ્ઞેય અર્થાત જાણવાની કે જણાયેલી વસ્તુ. જ્ઞાતા એક છે અને જ્ઞેયમાં અનેા છે. જે જ્યુ છે તે કદી શાતા નથી અને જે ચેતન છે તે કદી જ્ઞેય થઈ શકે નહીં. અર્થાત્ ઇન્દ્રિયનો વિષય કે વસ્તુ થઈ શકે નહીં. શાતા એટલે જ આત્મા, જે દરેક વ્યક્તિમાં ‘હું, અહમ, ‘આઈ” મેં તરીકે જાણીતો છે અને ‘હું' જે જાણું છું તે ‘આ’, મ્, “ધીસ', ‘હ' કહેવાય છે. આ ઘર, આ વૃક્ષ, આ પર્વત, આ આંખ, આ શરીર, આમ જે મને જણાય છે, જેને હું જાણું છું તે મારા માટે શેય છે.