________________
(૧૦૦)
| ભોગવવા વારંવાર જન્મ લે છે. આ સૂક્ષ્મ શરીરમાં પણ અનેકતા છે. તે કુલ ૧૭ અવયવોનો સૂક્ષ્મ સંધ છે. પાંચ જ્ઞાનેન્દ્રિય + પાંચ કર્મેન્દ્રિય + પાંચ પ્રાણ + મન બુદ્ધિ. સૂક્ષ્મ શરીરને લિંગદેહ પણ કહેવાય
કારણ શરીર (કોકલ બોડી)-કારણ શરીર અર્થાત જે સ્થળ અને સૂક્ષ્મ શરીરનું કારણ છે. તેને અજ્ઞાન પણ કહી શકાય. આમ એક જ શરીરમાં ત્રણ શરીરો તે જ અનેકતા છે.
આમ વિચારતાં શરીરની અંદર પણ અનેક્તા અને શરીરોમાં પણ ભિન્નતા જોવા મળે છે. જ્યારે આત્મા તો એવો એક છે કે તેના જેવો બીજો નથી માટે તો તેને અદ્વિતીય કહે છે. હવે આ અનેકતાથી ઘેરાયેલ શરીરને કોઈ આત્મા સમજે તે તો ઘોર અજ્ઞાન જ કહી શકાય. એક અનેક કઈ રીતે થાય અને અનેકને કેવી રીતે એક સમજી શકાય?
જે આત્મા અને દેહ પરસ્પર વિર૮ ધર્મવાળા છે તેનું ઐક્ય સંભવી શકે તેમ નથી. છતાં આ તો ભાઈ, ભેળસેળનો જમાનો! ગાય-બકરીની ચરબીને લોકો ઘી સમજી ખાવા લાગ્યા, ભગવાનનો પણ ડર નથી તેવા દુષ્ટ, પાપી વેપારીઓ ઘીમાં સસ્તી ચરબી ભેગી કરી વેચવા લાગ્યા...મરચાંમાં લાકડાનો રંગીન વહેર, પાપડમાં મરીને બદલે પપૈયાનાં બી એવું તો કંઈક ભેગું કરાયું. અજ્ઞાનથી લોકોએ ખાધું ભેળસેળના જમાનામાં વગર ખર્ચે જે અનામી, નિરાકાર, નિરવયવી, એક આત્માને શરીર જોડે ભેળવી શકાય તો કોણ અટકે? અને શરીરને આત્મા જ જાણી અમરતાનો આનંદ મફત મળે તો કોણ છોડે? આપણે યાદ રાખીએ કે શરીરને જ આત્મા માનવું તે તો આરોપને અધિષ્ઠાન સમજવા જેવું સપને દોરી માનવા જેવું, છીપને ચાંદી સમજવા જેવું પડછાયાને “સ્વસ્વરૂપ માનવા જેવું પથ્થરને હીરો અને પિત્તળને સોનું સમજવા જેવું છે. અને તેવી જ રીતે આત્માને શરીર માનવું તે અધિષ્ઠાનને આરોપ, દોરીને સર્પ, હીરાને પથરા, સ્વરૂપને પડછાયો અને સોનાને પિત્તળ સ્વીકારવા જેવું જ અજ્ઞાન છે. આવા અજ્ઞાનથી જ વારંવાર આપણે સ્મશાનમાં વિરામ લઈએ છીએ અને ગર્ભમાં આરામ કરીએ છીએ. અનેક યોનિઓમાં પ્રવેશ કરીએ છીએ. પુનઃજન્મના દરવાજે