________________
(૯૧).
મોત, સાક્ષાત્કાર, આત્મજ્ઞાન, સ્વસ્વરૂપદર્શન, મુક્તિ કે અપરોક્ષાનુભૂતિના અંતિમ સાધન તરીકે વિચારની વિચારણા ચાલી હતી. તેના અનુસંધાનમાં વિચારમાળાનો આ અંતિમ અને પ્રથમ મેરુ જેવો મણકો છે.
અન્ન = સંક' વિચારણા સંદેહમુક્ત હોવી જોઈએ; શ્રદ્ધાયુક્ત હોવી જોઈએ; સ્પષ્ટતા અને સાતત્ય સંયુક્ત હોવી જોઈએ; કૃતિસંમત તદ્દી સશકત હોવી જોઈએ. તો જ તેને સવિચારણા કહેવાય, આત્મવિચારણા કહેવાય, તત્વવિચારણા કે વિવેકવિચારણા કહેવાય. જે વિચારમાં સાતત્ય અને સ્પષ્ટતા નથી, ચિંગિ વિધાઉટ ક્લેરિટી ઍન્ડ કન્સિસ્ટન્સી. તેના પાયામાં જ સદેહ છે અને તેને દિવાસ્વપ્ન કે “ટ્રિમિંગ” કલ્પના કહી શકાય, વિચારણા ક્કી નહીં.
માટે મુમુક્ષુએ વિવેક દ્વારા અનાત્મવિચાર ત્યાગી સદેહ સમાપ્ત કરી શ્રદ્ધાવાન થઈ વિચારવું કે.
'अहमेकोऽपि सूक्ष्मश्च ज्ञाता साक्षी सदव्यय : હવે અનુક્રમે વિચારણા આરંભીએ....
અ૪મુ : હું એક છું... એક, એક તો ઘણા હોય-સૂર્ય એક, પૃથ્વી એક વગેરે. પણ હું તેવો એક નથી. સૂર્ય જેવા તો અનેક તારા છે, પૃથ્વી જેવા અનેક ગ્રહ છે. હું માત્ર એક નથી પણ એક અને અદ્વિતીય છું. મારા જેવો બીજો નથી તેવો હું એક છું. માટે જ હું અદ્વિતીય છું. આઈ એમ નોનડયુઅલ સુપ્રીમ રિઆલિટી.
હું એક છું. અર્થાતુ અનેકમાં હું એક છું. માટે જ મારું મહત્ત્વ છે. વૈવિધ્યમાં એકતા તે જ હું એક છું છતાં અનેકમાં અભિન્ન હું અર્થાત્ ઐક્યમાં વૈવિધ્ય પણ હું જ છું. અનેમાં એકની શોધ છે, માટે જ શાસ છે. શ્રુતિ છે, ગુરુ છે. માટે જ મુમુક્ષુને મોક્ષ છે. તેથી જ નિર્દેશક અને નિર્દેશ છે. જયાં હેત છે તે તો સ્પષ્ટ છે, તેમાં પ્રમાણની. ગુરની શારાની જરૂર નથી. ભેદ તો નરી આંખે આંધળાને પણ દશ્ય છે. અનેકમાં એક અભેદતત્વ હું છું. તે સમજવા જ ગુરુ-શિષ્ય પરંપરાની જરૂર છે અને વેદ જેવી અનાદિ બ્રહ્મવિદ્યાની અનિવાર્યતા છે. મનું . હું એક છું કહેવાનો અર્થ જ એ થાય કે હું અપૂર્ણ