________________
(૮૯) જ્ઞાતા પણ હું જ છું. આમ, “સંકલ્પ” “અજ્ઞાનનો જ્ઞાતા હું અવ્યય છું... અવ્યયમ્ અને જ્ઞાનાને તો છું હું સાક્ષી... સંકલ્પ' અને મારા “અજ્ઞાન'નો. સંકલ્પ “અજ્ઞાન જીવે છે મારા પર. જેમ જીવિત છે સર્પ દોરી પર. આમ, મારા આરોપનો હું સાક્ષી સૂક્ષ્મ છું.. સૂક્ષ્મમ્ તેથી અજ્ઞાન, સંકલ્પનું ઉપાદાન હું.. કેવો છું?
હું “gવં સૂક્ષ્મ સવ્યયમ્” – એક, સૂક્ષ્મ, સત, અવ્યય છું તેમ જ મારે વિચાર કરવો જોઈએ.
તો જ સમજાય કે સંકલ્પ, અજ્ઞાનનું જે એક માત્ર કારણ છે તે મુજથી ભિન્ન નથી અને અનેકનું ઉપાદાન એક હોઈ શકે તેવું સ્વીકારવામાં વાંધો નહીં આવે.
જેવી રીતે દોરી ઉપર જે વ્યક્તિને સર્પ દેખાય છે તેને જ દોરીનું અજ્ઞાન પણ દેખાય છે. અર્થાત્ દોરીનું “અજ્ઞાન” અને સર્પનું જ્ઞાન એક જ વ્યક્તિને થાય છે. દોરીનું અગ્રહણ અને સર્પનું ગ્રહણ થાય છે તેનું કારણ એક જ છે. એટલું જ નહીં પણ ભ્રાંતિ નષ્ટ થતાં તે જ વ્યક્તિને પાછું દોરીનું ગ્રહણ થાય છે = અર્થાત્ દોરીનું જ્ઞાન થાય છે. આમ
દોરીનું જ્ઞાન = ગ્રહણ દોરીનું અજ્ઞાન = અગ્રહણ સર્પનું ભાન = વિપરીત ગ્રહણ
ત્રણેનું ઉપાદાન એક જ છે. ત્રણેનું કારણ માત્ર સત એક છે.