________________
(૮૨)
રહે?
સમજવાનું એ જ છે કે જાગ્રત અવસ્થા પોતે જ સાચી નથી, સત્ નથી, નિત્ય નથી. કારણ કે, સ્વપ્નમાં તે રહેતી નથી અને સુષુપ્તિના અનુભવમાં તો તે હતી જ નહીં. તેથી આદિ અને અંતમાં જે જાગ્રત અવસ્થા નહોતી તે વર્તમાન સમયે માત્ર જાગૃતિમાં જ અનુભવાય છે, તેથી તે પણ નથી જ, અને છે તો સાચી નથી. આમ, જે જાગ્રત અવસ્થા જ સાચી નથી, તો તેમાં જે કંઈ, જે કોઈનો અનુભવ થયો, તે તમામ ખોટા છે, મિથ્યા છે.
હવે વિચારીએ કે જેવી રીતે જાગ્રત અવસ્થાનો સ્વપ્નમાં બાધ થાય છે અર્થાત્ તે રહેતી નથી, તેવી જ રીતે સ્વપ્ન અવસ્થાનો જાગ્રતમાં બાધ થાય છે, તેથી સ્વપ્નાવસ્થા પણ ણે કાળમાં રહેતી નથી તેથી તે પણ સત્ નથી; અનિત્ય અને મિથ્યા છે. જાગ્રત અને સ્વપ્નનો બાધ સુષુપ્તિમાં છે તેથી સુષુપ્તિની અવસ્થા કે તેનો અનુભવ સત્ છે તેમ રખે માનતા! સુષુપ્તિ અને તેનો અનુભવ જાગ્રતમાં બાધિત થાય છે અને સ્વપ્નમાં તો સંકેત પણ સુષુપ્તિનો નથી. આમ, ત્રણે અવસ્થા સત્ નથી. તો તે ત્રણે અવસ્થામાં જે કંઈ અનુભવાય છે તે એક યા બીજા સમયે બાધિત થઈ જાય છે તેથી સ્વપ્ન, સુષુપ્ત કે જાગ્રત અવસ્થા સત્ તો નથી જ પણ મિથ્યા છે, માયિક છે. આરોપ છે, આભાસ છે, નિચોડ એટલો જ કે સર્વ અનુભવો અસત્ અને મિથ્યા છે. કારણ કે, ત્રણ અવસ્થા સિવાય કોઈ કંઈ અનુભવતું નથી અને ત્રણે અવસ્થા અસત્ છે.
...તે જ વિચારદિશામાં પ્રયાણ કરતાં પકડાય છે કે સંસારને પણ ઉત્પત્તિ અને લય છે. તેથી સમગ્ર જગત પણ આદિ અને અંતમાં નહોતું, તે માત્ર વર્તમાનમાં અનુભવગમ્ય છે, તેથી સંસાર પણ અસત્ છે. ગતનું સાચું અસ્તિત્વ નથી, તે તો મિથ્યાભાસ છે. જ્ગત એટલે જ નામ અને આકાર. અને જેમ ઘડો, નળિયાં, ઈંટ વગેરે નામ અને આકાર માટી પર આરોપિત છે તેમ જ સંસારનાં તમામ નામ અને આકાર નિરંજન, નિરાકાર, અનામી આત્મા પર આરોપિત છે. આત્મા જ એક સત્ છે, અધિષ્ઠાન છે. બાકી બધું જ અજ્ઞાનથી, સંકલ્પથી દેખાય છે, અનુભવાય છે અને અજ્ઞાની અનાત્મા નામ અને આકારને સત્ય માને છે. માટે જ ગ્રંથે સચોટ નિર્દેશ કર્યો કે “સર્વ અજ્ઞાનેન પ્રમ' અને વિવિધ સંપ
:
: