________________
'
(૮૦)
છે. અર્થાત્ તે સમયથી મુક્ત છે, સમયમાં આવેલું નથી, સમયમાં જવાનું નથી. અર્થાત્ ઉત્પત્તિ અને લયરહિત છે. અને માત્ર તે જ તત્ત્વ-સત્ત્વ એક અદ્વિતીય ‘સત્ છે. સત્ અર્થાત્ કાળથી પર અને કહેવું હોય તો ત્રણે કાળમાં છે. “ત્રિનેઽપિ તિવ્રુતિ કૃતિ સત્' પણ હકીકતમાં ત્રણે કાળની ભ્રાંતિ સત્ પર આરોપિત છે. આમ, એક્માત્ર આત્મા કે બ્રહ્મ સિવાય સર્વ કંઈ અસત્ છે. તેથી નિષ્કર્ષ કે નિચોડ અમાસની રાતે અંધને પણ દૃશ્ય છે, કે, જ્ગત છે પણ અસત્ છે. એક અજ્ઞાનીને જ અસત્ જ્ગત સત્ દેખાય છે. અજ્ઞાનથી જ સત્ પરમાત્મા અદશ્ય છે અને અસત્ સંસાર અનુભવગમ્ય છે. માટે ભગવાને સત્ય જ કહ્યું: “અજ્ઞાનેન પ્રમવું " અને જે વાત શંકરાચાર્ય ભગવાને કહી તે શાસ્રસંગત છે. તેવી જ ઘોષણા માંડૂક્ય કારિકાએ કરી છે.
“આલાવો ૬ યજ્ઞાન્તિ વર્તમાનેઽપિ તત્તથા।।”
“આદિ અને અંતમાં જે નથી તે વર્તમાનમાં પણ નથી.” અર્થાત્ જે જન્મપૂર્વે નહોતું, ઉત્પત્તિ પહેલાં નહોતું, મૃત્યુ પછી કે પ્રલય પછી નહીં હોય, તે ભલે વર્તમાનમાં દેખાય, વર્તમાનમાં અનુભવાય છતાં નથી તેમ જ સમજવું.
કેવી
કેવો
કેવો
ગહન છે આ
અજબ, ગજબનો
સૂક્ષ્મ છે
છે
અમર
કેવો
અદ્ભુત કેવો અજર,
આ
આ
આ
ઘોષણા!
સંદેશ!
સંત!
આદેશ!
ઉપદેશ!
જેને માટે એમ કહેવાય કે તે એક કાળે સત્ નથી, સાચું અસ્તિત્વ નથી. પણ જેને તેવું છે, રિલેટિવ ટ્રુથ છે, સાપેક્ષ સત્ય છે, નિરપેક્ષ સત્ છે, એબ્સોલ્યુટ ટુથ છે તે કદી નહોતું તેમ નથી, કદી નહીં હોય તેવું થવાનું નથી, તે તો છે, હતું અને રહેવાનું.
નહોતું-તે કદી નિત્ય નથી, એપરન્ટ રિયાલિટી કહેવાય નિરપેક્ષ કદી નહીં. જે
આવી ઊંડાણની ભૂમિકા તૈયાર કર્યા પછી વિચાર દ્વારા અનંતના ઉશ્યનની તૈયારી કરીએ; ચાલો, હવે વિચારણામાં ઉતરીએ; ઊંચે જવા ડૂબકી મારીએ; અનિત્યને ડુબાડીએ અને વિના તરાપે ‘નિત્ય’ને તરવા દઈએ.