________________
(૭૯)
વાંકી લાકડી, જમીન-આકાશનું ક્ષિતિમાં મિલન, ચંદ્રમાં વધઘટ આ બધું અનુભવાય છે, છતાં નથી. તેથી કોઈએ સંસાર બાબતમાં પોતાની માનેલી ઇન્દ્રિયો કે બુદ્ધિ પર મદાર બાંધવાની જરૂર નથી. જૂનું ખરતું જાય છે, નવું આકાર લેતું જાય છે. સંસારની ભ્રામક ધારણાઓ બદલાતી જાય છે. અને સંસારનો અર્થ જ એવો છે કે જે નિત્ય નિરંતર બદલાયા કરે છે. ‘સમ્ સરિત ઈતિ સંસાર : નિરંતર જે બદલાયા કરે છે, જેમાં ફેરફાર થાય છે તે નિત્ય કઈ રીતે હોય ? નિત્ય તો માત્ર એક જ વસ્તુ છે જે અપરિવર્તનશીલ છે, જે પરિવર્તનની પેલે પાર છે. સત્ય ક્વી નવું ન હોઈ શકે; કારણ કે, સત્ય કદી જૂનું નહોતું કે આજે નવું થઈ શકે; તે તો પૂર્વે જે હતું તે જ આજે છે અને તેવું જ તે રહેવાનું. સત્ય સા-સર્વદા મુક્ત છે પરિવર્તનથી; ‘થ ઈઝ નોટ સબ્જેક્ટ ટુ ચેન્જ.' તેથી જ સંસારની ધારણાઓમાં કોઈ ‘લેટેસ્ટ' થીયરી કે સંસારના પદાર્થોમાં કોઈ લેટેસ્ટ પદાર્થ પેદા કરી શકાય, ફેશનમાં કંઈ લેટેસ્ટ લાવી શકાય, પણ કદી ન ભૂલીએ કે જે આજે લેટેસ્ટ છે તે આવતી કાલે જૂનું-પુરાણું થવાનું; અરે, એટલું જૂનું કે ‘એન્ટિક’ થઈ પછી માત્ર ‘મ્યુઝિયમ (અજાયબઘર)માં જ કેદ થવાનું; ‘મમી'ની લાઈનમાં સૂઈ જવાનું; કારણ કે, તે ‘શ્રેષ્ઠષ્ટ હતું. સત્ય દર્દી લેટેસ્ટ નથી, થઈ શકે નહીં. કારણ, તે ગ્રેટેસ્ટ છે, શ્રેષ્ઠષ્ટ છે. જે સૌથી મહાન છે તેમાં પરિવર્તન નથી અને જે સૌથી સૂક્ષ્મ છે તેમાં પરિવર્તનને અવકાશ નથી.
આપણો આત્મા તેવો જ છે, સૌથી શ્રેષ્ઠ અને મહાન છે, (શ્રેષ્ઠષ્ટ) અને સૌથી સૂક્ષ્મ પણ તે જ છે. કઠોપનિષદ કહે છે કે.
"अणोरणीयान् महतोमहीयान् आत्मास्य जन्तोर्निहितो गुहायाम् ॥२०॥
“અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન આ આત્મા હ્રદયની ગુફામાં રહેલો છે.” તેથી સ્પષ્ટ છે કે સૌથી મહાન અને સૌથી સૂક્ષ્મ છે તેમાં કદી કોઈ પરિવર્તનની શક્યતા નથી. તે નિ:શંક સનાતન સત્ય છે. તે ઉપરથી એક વાળીચોળીને ભેગી કરેલી એક વાત હાથમાં આવી જાય છે. જેમ મંથન કરતાં અમરત મળે, તેમ મનોમંથન કરતાં સ્પષ્ટ થાય છે કે જેમાં ફેરફાર નથી, વધઘટ નથી, જૂનું-નવું નથી, પરિવર્તન નથી, તે પહેલાં પણ હતું, આજે પણ છે અને સદાય રહેવાનું પણ