________________
(૭૭) છે, સલાહ પણ આપે છે -“શરીર મોટું છે, ઓછાં પડશે.” ડાઘુઓ લાકડામાં કસર કરતા નથી. કારણ, અવશેષ પણ રહે તેમ કોઈ ઈચ્છતું નથી; પણ મરનારનો પુત્ર કે પુત્રી તો માત્ર એક ઘાસનો પૂળો મૂકી આઘા ખસી જાય છે. કારણ કે, તેમનું કોઈ મર્યું છે. હવે વિચારો કે મૃત્યુથી દર્દ છે, શોક છે, ગમગીની છે કે મમત્વથી? જે મમતાથી, સ્નેહથી, સગપણથી દર્દ થાય છે તો મમતા જન્મી ક્યાંથી? શરીર મારું છે તેવા અશાનથી શરીરનાં સગાં આવ્યાં અને વિદાયની દુ:ખવેળા લાવ્યાં. આમ, અજ્ઞાન જ કારણ છે સુખનું અને દુ:ખનું.
એક કાપડિયો રોજ ર્તિથી કાપડ વેચે છે. એકસાથે અનેક ગ્રાહક સાથે વાતો કરે છે. જે માત્ર કુહલથી જેવા જ દુકાને ચડ્યા હોય તેને પણ ગ્રાહક બનાવે છે. એક પ્રાત:કાળે તેનાથી દુકાનનો દરવાજો પણ મુશ્કેલીથી ખૂલે છે, મીટરનું માપ પણ ઉપડતું નથી અને એક નાનો લાલ ટુકડો ફાડવા જતાં 'ગજ પડી જાય છે, આંખથી ધાર વહે છે, કપડું પણ આજ કાતું નથી. જે કફન માટેના તાકા ને તાકા રોજ વેચે છે તેનાથી એક કફનનો ટુકડો ફાટતો નથી, કારણ કે આજે પોતાની પત્ની માટે ફાડવાનું છે. દુ:ખ ન તો કફનના કપડામાં છે, ન મોતમાં છે, ન સ્ત્રીમાં છે; પણ “મારી પત્ની મારી છે તે મમત્વ જ દર્દ જન્માવે છે, જે અજ્ઞાનનું કાર્ય છે.
આમ, અજ્ઞાનથી જ દુ:ખ જન્મે છે અને રોજ કફનના મોટા વેપારથી સુખ મળતું તે પણ અશાનથી જ.
“સાનેન વિતીચ” શાનથી (જેનો જન્મ છે તેનો પ્રલય થાય છે.
જે જ્ઞાન થાય કે, “ન તો હું શરીર છું, ન શરીર મારું છે, તો પછી નથી કોઈ સગું, નથી કોઈ વહાલું; નથી મમત્વ કે નથી મોહ; નથી હું કોઈનો, નથી કોઈ મારું તો અજ્ઞાનથી જે સુખદુ:ખ જન્મ છે તેનો નાશ થાય. માટે જ કહ્યું છે કે ભ્રાંતિમય દુ:ખ, દર્દ કે સુખ શાનથી નાશ પામે છે. માટે જ ખોટા ખોટા સંકલ્પ ત્યજી દેવા જોઈએ. કારણ કે સંકલ્પ જ સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, અહંભાવ-મમભાવ, કર્તા-ભોક્તા વગેરેને ઉત્પન્ન કરે છે. “વિવિય: સંવ:વસ્ત” હું શરીર છું તેવા સંકલ્પથી મુક્ત થાઓ. “હું કત કે ભોક્તા છું” તેવો સંકલ્પ જ આપણને પાપી કે પુણ્યશાળી બનાવશે, તેવો સંકલ્પ જ ફળ આપશેફળ ભોગવવા