________________
(૭૬)
(૨) જ્યારે જ્ઞાનીના જ્ઞાનની તો અલૌકિક અનુભૂતિ જ છે, સ્વરૂપના અજ્ઞાનમાં સંસારનો જન્મ છે અને આત્મતત્ત્વના જ્ઞાનમાં સંસારનો પ્રલય છે. ભગવાન શંકરાચાર્યએ કહ્યું કે:
वयसि गते कः कामविकार:
शुकः कासारः । नष्टे द्रव्ये कः परिवारो
રાતે તત્ત્વ : સંસાર ||
તત્ત્વનું જ્ઞાન થયા પછી ક્યાં છે સંસાર? જાગ્રત થયા પછી સ્વપ્ન કયાં? પણ સ્વપ્ન છોડવા જાગવું પડે. જાગવા “કંઈ નહીં કરવાનું” કરવાનું. અચિંતન જેવું ચિંતન તે એક જ રસ્તો છે. આમ જોતાં જ્ઞાની-અજ્ઞાની બન્નેના અનુભવ તો એક જ સરખા છે કે “સંસાર મિથ્યા છે.”
વિચારતાં સમજાય છે કે અજ્ઞાનીને સંસાર કે જગત મિથ્યા જણાય છે, પણ છૂટી શકતો નથી. કારણ, ‘સ્વ' સ્વરૂપનું તેને જ્ઞાન નથી; જ્યારે જ્ઞાનીના આત્મજ્ઞાનમાં સંસાર ટકી શકે તેમ નથી અર્થાત્ આત્મજ્ઞાનમાં સંસારનો પ્રય છે અને આત્મઅજ્ઞાનમાં જ જન્મ છે. માટે જ ગ્રંથ કહે છે
“સર્વ અજ્ઞાનેન મવમ્” = સર્વ કંઈ અજ્ઞાનથી જન્મે છે. ચાલો ફરી વિચારણા કરીએ.
અજ્ઞાનથી જ મેં સ્વીકાર્યું કે હું શરીર છું.
શરીરભાવ મેં પેદા ર્યો તેથી કોઈ મારી પત્ની, કોઈ બાળકો, કોઈ મારાં માતા-પિતા અને ઘણાં સ્નેહીઓ, સંબંધીઓ શરીરનાં થયાં. સૌને મેં આવકાર્યા. આમ, ‘હું શરીર થયો' માટે કોઈ મારા થયાં; જે ‘મારા’ ન થયા, તે તારા' થયા. આમ, હું, ‘મારું’ ‘તારું’ ‘આપણું” ‘પરાયું’ સૌનો જન્મ થયો. અહમ્ આવે એટલે મમભાવ-મમત્વનો જન્મ - થાય અને સાથોસાથ મમત્વનું લક્ષ્ય દર્દ પણ આવે જ. આમ, સ્વરૂપના અજ્ઞાનથી જ ‘મારા' માટેનો મોહ જાગ્યો, પરાયા માટેનો દ્વેષ જન્મ્યો. મમતાથી દર્દ પેદા થયું અને અહમ્ ભાવથી અહંકાર આવ્યો. આ બધું જ સુખ-દુ:ખ રાગ-દ્વેષ અજ્ઞાનની જ પેદાશ છે તે જરા સમજીએ. સ્મશાનમાં જે લાકડાં વેચે છે તેને કાઠી વેચતાં જરા પણ દર્દ નથી. કારણ, તેનું કોઈ મર્યું નથી; પરાયાના મોતમાં ક્યાં છે શોક? તે તો જોખી-જોખીને લાકડાં આપે