________________
(૭૪) ન થવાય! કારણ કે આપણે છીએ જ, નહીં તો આટલી લાંબી ચર્ચા ન કરતા હોત!). જે આપણું સ્વરૂપ છે તે પ્રયત્નથી ન તો પેદા થઈ શકે, ન ક્યાંથી આવી શકે. જે આત્મસ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ હોય તો માત્ર વિચાર દ્વારા જ પાછી લાવી શકાય. અને જો સ્વરૂપની સ્મૃતિ તાજી થાય તો શંકા, સમસ્યા અને સંદેહ જીવનમાંથી સદાને માટે ચાલ્યાં જાય અને ક્ષણે ક્ષણે “સ્વ” સ્વરૂપમાં જ રમણ થાય, સ્વરૂપનું જ સ્મરણ થાય, સ્વરૂપમાં જ વ્યક્તિ મગન હોય. તેવું નિ:સંદેહ શાન હતું હસ્તામલકનું એવું કહેવાય છે કે તે નાનો બાળક નાની વયથી જ મૂંગો રહેતો, સ્વરૂપમાં મગન રહેતો. માબાપ ચિંતાતુર હતાં. અનાયાસે આદિ શંકરાચાર્યજી તે ગામમાં આવ્યા અને માબાપે પ્રાર્થના કરી કે ગુરૂદેવ, તમે કંઈ પૂછી જુઓ કેમ તે શાંત, મૌન, પ્રવૃત્તિહીન છે. અને શંકરાચાર્ય ભગવાને તે નાના બાળકને પૂછયું, “તું કોણ છે?ક્યાં જવા નીકળ્યો છે? તારું નામ શું છે? ક્યાંથી આવ્યો છે?
"कस्त्वं शिशो कस्य कुतोऽसि गंता
किं नाम ते त्वं कुत आगतोऽसि।" પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ હસ્તામલકની અવ્યકત વાણીમાંથી વીજળીના ચમકારની જેમ વાણી સરી પડી:
"नाहं मनुष्यो न च देवयक्षौ न ब्राह्मणक्षत्रियवैश्यशूद्राः। न ब्रह्मचारी न गृही वनस्थौ।
મિત્ર વાદ વિનોધ:.” : - તો હું મનુષ્ય છું; ન દેવ કે યક્ષ છું; ન હું બ્રાહ્મણ છું કે ન ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છું. . નથી હું બ્રહ્મચારી; નથી ગૃહસ્થાશ્રમી:
નથી સંન્યાસી કે વાનપ્રસ્થી, કે હું તો જ્ઞાનસ્વરૂપ (અનંત આત્મા) છું.