________________
(૦૩) હું જ છું, તેનું જ મારે નિત્ય સ્મરણ કરવું જોઈએ.
प्रात: स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगति तुरीयम्।
यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं
तद्ब्रह्म निष्कलमहं न च भूतसंघः॥ હું પ્રાત:કાળે હૃદયમાં સ્કુરિત થતા આત્મતત્ત્વનું સ્મરણ કરું છું, જે સચિત-આનંદ છે અને પરમહંસોનું પ્રાપ્તસ્થાન છે. જે સ્વખ, જાગ્રત, સુમિ ત્રણે અવસ્થાને જાણે છે તે જ બ્રહ્મ હું છું. પંચમહાભૂતનો સંઘ=સમૂહ દેહ હું કદાપિ નથી. આવા નિત્ય વિચાર કરવાથી જ સમજાશે કે હું કોણ છું અને અનાત્માનો સાથ છૂટી જશે. હું શરીર નથી, તો ઇન્દ્રિય તો હોઈ શકું જ નહીં. જો આપણે આપણી જાતને ઇન્દ્રિય માનીશું તો જ આપણે બહેરા થયા; આપણને મોતિયો આવ્યો; આપણે પોતાને મન માનીશું તો જ સુખી-દુ:ખી થવાનો પ્રશ્ન ઊભો થશે. જે આપણે બુદ્ધિ છીએ તેવું માનીશું તો જ આપણે વિદ્વત્તાના અહંકારમાં ફુલાઈશું કે મૂર્ખ કે મંદબુદ્ધિની મૂર્ખામી વહોરી, હતાશા અનુભવીશું. માટે વિચાર દ્વારા મક્કમ નિશ્ચય પર આવવાની જરૂર છે કે નથી હું શરીર, નથી ઇન્દ્રિય, નથી મન કે બુદ્ધિ; પણ તે સર્વનો કટા સાક્ષી આત્મતત્વ છું. આપણે આત્મતત્ત્વ થવા કંઈ જ કરવાની જરૂર નથી. પોપટ કે કોયલને પંખી થવા શું કરવું પડે? ગાય કે ઘોડાને જાનવર થવા શું કરવું પડે? હિંદુ, મુસ્લિમ, પારસીને માણસ થવા શું કરવું પડે? વ્યષ્ટિને સમષ્ટિ થવા શું કરવું પડે? વ્યક્તિને વિરાટ થવા શું કરવું પડે? બસ, તેવી જ રીતે જીવને બ્રહ્મ થવા માત્ર જીવત્વ છોડવું પડે; વ્યકિતને વિરાટ થવા વ્યક્તિત્વ છોડવું પડે. ન તો કોઈ વિરાટ થઈ શકે, ન બ્રહ્મ બની શકે.
બ્રહ્મ તો આપણે છીએ જ થવાનો પ્રશ્ન નથી. જે આપણે ન હોઈએ તે જ થઈ શકીએ ડૉકટર થઈ શકાય, એન્જિનિયર થઈ શકાય, પૈસાદાર થવાય, મકાનમાલિક થવાય, બાપ કે માતા થઈ શકાય (મુખ