________________
(૮૧)
જેનો જેનો જન્મ કે ઉત્પત્તિ છે તે સમયમાં કેદ છે. સમયમાં જ તેનો ઉદય થયો અને સમયમાં જ તેનો અસ્ત થવાનો. આવી સર્વ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે રચના અંતવાન છે, નાશવાન છે, ‘લિમિટેડ’ છે. કારણ કે, તેમને આદિ=શરૂઆત છે અને જેને શરૂઆત છે તેને અંત પણ હોય છે. આવી તમામ સજેલી વસ્તુ માટે વિધાન કરી શકાય કે તેમના સર્જન પહેલાં અર્થાત્ ભૂતકાળમાં તે નહોતી, અને તેમના નાશ પછી ભવિષ્યમાં નહીં હોય. અને છતાં જો તે વસ્તુ વર્તમાનમાં દય હોય-અનુભવગમ હોય તો પણ તેનું સાચું અસ્તિત્વ ન જ કહેવાય, તે સત્ ન જ ગણાય. કારણ કે, એક જ કાળે - માત્ર વર્તમાનમાં અનુભવાય છે; તેની પ્રતીતિ એક જ સમયે થાય છે. તેથી તેનું હોવાપણું' નિત્ય નથી. અને જે નિત્ય નથી, તે નથી તેમ જ સમજવું જે ત્રણે કાળમાં અસ્તિત્વમાં હોય તે જ વાસ્તવમાં છે અને સતુ છે તેમ સમજવાની જરૂર છે. આપણું શરીર પણ જન્મેલું જ છે. તેથી જન્મપૂર્વે આદિમાં નહોતું, મોત પછી અર્થાત્ અંત પછી પણ નહીં હોય. તે માત્ર વર્તમાનમાં દશ્ય છે માટે તે સત્ નથી. તેથી તે નથી તેમ જ માનવું અગર મિથ્યા સમજવું. તારણ એટલું જ છે કે જે વચ્ચે વચ્ચે દેખાય છે અને ભૂત ભવિષ્યમાં . અદશ્ય થાય છે તેનું અસ્તિત્વ સાચું નથી. આમ જોતાં શરીર સાચું નથી તો તેના સંબંધો ક્યાંથી સાચા હોય? શરીરના સગા તો કલ્પનામાં પણ સાચા નથી. “ન્ગિરજાન દોસ્ત”, “જનમ-જનમનો સાથી” એ તો આંધળાના હાથી જેવી ભ્રાંતિ છે.
આગળ વિચારીએ તો સ્પષ્ટ થાય છે કે જે કંઈ આપણે અનુભવીએ છીએ તેમાં ફક્ત અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન અને સુમિ. જાગ્રતમાં જે કંઈ અનુભવાય છે તે અનુભવ પર્વતનો, સાગરનો, સરિતાનો, અવકાશનો, ગ્રહો કે તારાઓનો, પ્રાણી-પદાર્થ કે વ્યક્તિનો, દાન, દ્રવ્ય કે દઈનો, અહંતા, મહત્તા કે સત્તાનો જે અનુભવ થાય છે તે અનુભવ તેવા જ રૂપે, તેવી જ સ્થિતિમાં સ્વપ્નમાં રહેતો નથી. જાગ્રતનો બાપ સ્વપ્નમાં નથી. નથી જાગ્રતની માલ-મિલકત કે ખજાનો! સ્વપ્નમાં ભિખારી હોઈએ પણ જાગ્રતના ધનમાંથી પાઈ પણ ખપમાં નથી આવતી. જાગ્રતમાં મિત્રોના મેળા ભરાતા હોય, શુભેચ્છકેની કતાર લાગતી હોય, અનુયાયીઓનાં ટોળાં ઊભરાતાં હોય, પણ સ્વપ્નમાં ઘરમાં આગ લાગે તો કોઈ દેખાતું નથી! અર્થાત્ સ્વપ્નાવસ્થામાં જાગ્રત અવસ્થા જ અદશ્ય થાય છે તો પછી જાગ્રત અનુભવ તો ક્યાંથી