________________
સ્ત' મારે જે શાની છે તેને તો માત્ર એક અદ્વિતીય આત્મા જ જણાય છે. જેને અધિષ્ઠાન પકડાય તેની ક્વતરૂપી ભ્રાંતિ સરી જાય છે છે; જે જ્ઞાનમાં જાગી જાય છે તેની સ્વપ્નવત્ જગતની ભ્રમણા તૂટી જાય છે. તેથી “જ્ઞાનેન વિનીયતે” ઉક્તિ પણ શાનમાર્ગના પથિકને દીવાદાંડી સમાન છે.
પોતાની સ્વસ્વરૂપની અનુભૂતિ કરનાર અષ્ટાવક્ર મુનિ પણ તેવી જ વાણી ઉચ્ચારે છે જેનો ભાવાનુવાદ નીચે મુજબ છે:
“ચિન્માત્ર મેં હી સત્ય હું યહ વિશ્વ વંધ્યાપુત્ર છે! નહીં વાંઝ સુત જનતી કભી; તબ વિશ્વ કહને માત્ર હૈ! જબ વિશ્વ કુછ હૈ હી નહીં; સંબંધ ક્યા ફિર વિશ્વસે! સમ્બન્ધ હી જબ હૈ નહીં છોડું કિસે? પકડું કિસે?
શ્રી ભોલેબાબા જે ઝૂતનો આપણે અનુભવ કરીએ છીએ, જેમાં આપણે સુખી-દુ:ખી થઈએ છીએ, જે જગતના પદાર્થો પાછળ ઘેટ મૂકીએ છીએ અને ફરિયાદ કરીએ છીએ કે અમે તો રહ્યા ગૃહસ્થી; અમારાથી ત્યાગ-વૈરાગ્યની વાત જ શક્ય નથી. એ ગૃહસ્થીએ કદી વિચાર કર્યો છે કે પોતે સ્થિર છે કે ઘર સ્થિર છે? પોતે અસ્થિર છે કે ઘર અસ્થિર છે? અંગ્રેજીવાળા કહેશે: “અમે તો હાઉસહોલ્ડર છીએ.” વાસ્તવમાં તો “ધ આર હેલ્ડ બાય હાઉસ. છે નેવર હોલ્ડ હાઉસ.” સર્વસામાન્ય ઉહાપોહ સર્વત્ર સંભળાય છે: “અમે તો સંસારી છીએ.” અરે! કોઈ વાર તો વિચારો! “સંસાર છે ખરો? જે સંસાર હોય તો કોઈ સંસારી કહેવાય. અરે! સંસાર જે આપણા અજ્ઞાનની પેદાશ છે તો વિચારો કે અજ્ઞાન છે ખરું? અવિદ્યા કે અજ્ઞાનની શરૂઆત કયારે થઈ! કોઈ જાણતું નથી. અજ્ઞાન છે શું? છે ક્યાં? તેવી વિચારણા કરતાં “અજ્ઞાન’ અદશ્ય થાય છે. “અજ્ઞાનની શોધ થતાં, જ્ઞાનની દષ્ટિ પડતાં જ જે તે ભસ્મ થાય તો સંસાર માં બચે? અજ્ઞાન કારણ છે, mત કાર્ય છે. બીજ બળે તો વૃક્ષ ક્યાં રહે? આવી જ વિચારણાને અભિપ્રેત કરવા શ્રી રંગ અવધૂત પોતાની અવધૂતી મસ્તીમાં લલકારે છે કે,