________________
(૨) પછી શોક કોનો? નથી હું સ્નેહી પછી મારો વિયોગ કેવો? નથી હું કોઈનો, નથી મારું કોઈ, નથી હું શરીર તો મારી સ્વાવસ્થા કેવી? નથી મારે સ્વપ્ન કે નિદ્રા તો મારે જાગૃતિ કેવી? નથી હું શરીર, ઇન્દ્રિય સહિત જગતનો કટા, તો દશ્ય (mત) કેવું? નથી, નથી, હું નથી'માં કંઈ નથી ને છતાં સૌનો ઈન્કાર કરનાર નથી તેવું નથી. એવો હું અસંગ- નિસંગ છું, સત્ સ્વરૂપ છું. તો પછી હું શરીર છું તેવી ભ્રાંતિ આવી ક્યાંથી?
આ ભ્રાંતિ સંસળંધ્યાસની પેદાશ છે. જેમ શ્વેત રંગવિહીને સ્ફટિક પાસે લાલ જપાકુસુમ પડ્યું હોય તો સંસર્ગદોષથી કસમનો રંગ નિર્મળ સ્ફટિકમાં • દેખાય છે તેમ હું નિરાકાર, અનામી, અસંગી, અરંગી, નિત્ય આત્મચૈતન્ય
છું પણ શરીરના સંગથી ભ્રાંતિ થઈ કે હું શરીર છું, ભ્રમણા થઈ કે હું જન્મ-મૃત્યુના શરણે જવાવાળો છું, હું ઈન્દ્રિયોવાળો છું, સમયમાં કેદ છું. આમ, શરીરનો સ્વભાવ ભૂલથી સંસર્ગથી મેં મારો જાગ્યો, માવ્યો અને હવે પસ્તાયો છું. જે સંસર્ગદોષથી હું મને શરીર તરીકે સ્વીકારું તો પછી તે દોષ દૂર કઈ રીતે થાય? | માત્ર વિચારથી. આપણે સતત વિચારણા ચાલુ જ રાખવી જોઈએ કે
ન તો હું, તમે કે આપણે શરીર છીએ કે ન શરીર આપણું છે. માત્ર શરીરથી સંસર્ગ છોડવાનો છે. શરીર તો માત્ર થોડા સમય માટે સાથી તરીકે આપણને મળ્યું છે. તેમાં મોહ કરવા જેવો નથી. નહીં તો આપણા શરીરને કદરૂપું જોઈ દુખી થઈશું અને રૂપવાન જોઈ અહંકારને મજબૂત કરીશું. કાં તો આપણા કુરૂપને સુરૂપ બનાવવામાં, સૌંદર્ય અને શોભા વધારવામાં
જીવનનો અમૂલ્ય સમય વીતી જશે. અગર જે રૂપવાન છે તે શરીરને વૃદ્ધ થતું અટકાવવાના કીમિયા શોધવામાં સમય વેડફાઈ જશે અને ચિંતનનો સમય ચિતા સુધી પહોંચીશું ત્યાં સુધી નહીં મળે. માટે શરીરનો સાથ-સંગાથ, સંગ- સંસર્ગ છોડી દેવો, શરીરની આસક્તિ અને મમતા મૂકી દેવી ને વિચારવું કે નથી હું સુરૂપ, નથી કુરૂપ, નથી કોઈ રૂપ, નથી કોઈ રંગ,