________________
(૪૦)
આરોહણમાં સિદ્ધ પર્વતારોહી પણ સાથે ભોમિયો લે છે પછી નવા શિખાઉની તો વાત જ ક્યાં? દત્તાત્રેય ભગવાન જેવાએ પણ એક નહીં ચોવીસ ગુર કર્યા. પણ આજે “મૉડર્ન અત્યાધુનિક બનવાની ખ્વાહીશમાં; પોતે જુનવાણી વિચારોનાં પોટલાં નથી તેવું સાબિત કરવાની ગાંડી ધૂનમાં ઘણા કહે છે, “રસ્તો ભૂલી જઈશું તો શું થયું? મોડો મોડો પણ જાતે જ શોધીશું. અમે કોઈને કંઈ પૂછવા તૈયાર નથી, શું અમે નથી જાણતા?” ટૂંકમાં તેમનું કહેવું છે કે “હું કોઈને ગુરુ બનાવવા માગતો નથી” “શિષ્ય મારે હોય પણ હું શિષ્યત્વ સ્વીકારતો નથી. ગુરુની જરૂર નથી.” આવાં વિધાનો રજૂ કરનાર ધ્યેયપ્રાપ્તિમાં કાં તો ખૂબ જ ધીમા છે અથવા ઉત્સુક નથી. જીવનમાં કદી કોઈના શાનનો લાભ લઈ શકતા નથી તેઓ. કારણ કે તેમનો અહંકાર વચ્ચે આવે છે. જ્યાં સુધી તાડના ઝાડ જેવો અહંકાર વચ્ચે છે ત્યાં સુધી શ્રદ્ધાની યાત્રા થઈ શકે તેમ નથી. પણ જીવનના કોઈ ઝપાટામાં-તોફાનમાં જયારે 'તાડ’ તૂટે છે ત્યારે રસ્તો સરળ દેખાય છે. વંટોળમાં ઘાસ નમી જાય છે, તેથી ફરી ઊભું થાય છે અને નહીં નમનાર તાડ જડમૂળથી ઉખડી જાય છે. જે નમે તે પ્રભુને ગમે. જ્યાં નમન છે ત્યાં શ્રદ્ધાનો પ્રાદુર્ભાવ છે, “ન- મન’ છે ત્યાં જ શ્રદ્ધાનું પ્રાગટ્ય છે. જ્યાં મન છે ત્યાં શ્રદ્ધા સુષમ છે, અપ્રગટ છે, અવ્યક્ત
હવે શ્રદ્ધા અને સમાધાન વિશે ગ્રંથ પાસેથી શ્રવણ કરીએ-શ્રદ્ધાયુક્ત
થઈને
निगमाचार्यवाक्येषु भक्ति: श्रध्देति विश्नुता।
चितैकाम्यं तु सल्लक्ष्ये समाधानमिति स्मृतम्॥८॥ निगमाचार्यवाक्येषु
= વેદ તથા ગુરુવાક્યમાં પતિ :
= શરણાગતિ, ભક્તિ (ને જ) श्रद्धा इति विश्रुता
= શ્રદ્ધા તરીકે ઓળખવામાં આવે છે.
= અને સત્ત વિચ પામ્ય = પરમાત્મા કે પરબ્રહ્મરૂપી લક્ષ્યમાં
ચિત્તની એકાગ્રતા કરવી તે समाधानम् इति स्मृतम्
સમાધાન કહેવાય છે. શ્રદ્ધા: જીવનના કોઈ પણ ક્ષેત્રમાં શ્રદ્ધા વિના સિદ્ધિ શક્ય નથી.જે