________________
(૪૬) નહીં થાય.
તમે જે છોકરાને શેરીમાં રમતો જોયો હોય કે જે છોકરીને તમે ભણાવી હોય, જેને તમે તમારા નગરમાં સામાન્ય કાર્યમાં ગૂંથાયેલો જયો હશે કે જે તમારાથી ઉંમરમાં ખૂબ નાનો હશે તેને પણ તમે જલદીથી ગુરુ તરીકે હૃદયમાં સ્થાપિત નહીં કરી શકો. માટે જ અજાણ્યો કે પરગામનો ગુર જ નામ - આકારથી ગુમનામ કરવામાં કામ આવે તેવું કહેવાય છે. કહેવત છે કે “ઓળખીતો વૈદ્ય ઓછા કામનો અને પારકી મા જ કાન વીધ’, તેમ પૂર્વ-પરિચય કે અતિપરિચય પણ શ્રદ્ધાનો દીપક હૃદયમાં ઝડપથી નહીં પ્રગટાવી શકે. તે સમજવા બે પ્રાંત લઈએ:
કહેવાય છે કે એક વાર અચાનક ભગવાન બુદ્ધ પોતાના જ ગામમાં આવ્યા. બાર બાર વર્ષનાં વહાણાં વીતી ગયેલાં, લોકોની નજરમાં તો અવકાશનો કોઈ સિતારો ધરતી પર આવ્યો હોય તેમ બધે જ પ્રકાશ ફેલાતો જણાયો, માનવમહેરામણ ઊભરાયો, દર્શનની પડાપડી. જ્યારે બુદ્ધ પોતાના જ ગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે પિતાજીએ કહ્યું, “બેશક તું અપરાધી છે, તે મને ખૂબ નિરાશ ક્ય, યાતના આપી છતાં અંતે હું બાપ છું. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તને ક્ષમાની ભીખ આપવા તૈયાર છું પણ તારા આ ભિક્ષાપાત્રને સ્વીકારવા હરગિજ નહીં. તારી ભૂલ પર પસ્તાવો કર, પ્રાયશ્ચિત કર, ફેંકી દે આ સ્વાંગ, માફી તને મળેલી જ છે; સંભાળી લે આ રાજ્ય, જે તારું જ છે.” બુદ્ધે કહ્યું, “પિતાજી, જે વૈભવ-રાજ્ય-મહેલનો મેં ત્યાગ કર્યો, જેમાં મને આગની જવાળાઓ દેખાતી હતી અને જેનો આપે સંગ્રહ કર્યો છે તે હળાહળ ઝેરથી ભરેલો નાગ છે. પિતાજીએ કહ્યું, “હવે આ ગાંડપણ બંધ કર. તું મને ઉપદેશ આપે છે?” બુદ્ધે કહ્યું, “કૃપા કરી મારી સામે જુઓ. શું હું તે જ છું જે ઘર ત્યાગી ગયો હતો? જે હાલ અહીં મોજૂદ છે તેનો જન્મ તમારા ઘરમાં થયો નહોતો. થોડો વિચાર કરો, પિતાજી.”
પિતા કહે, “તું મને છેતરી નહીં શકે. તને તો હું પારણામાંથી ઓળખું છું, તારો તો મને ખૂબ પરિચય છે. તારી શબ્દજાળથી હું ભુલાવામાં પડવાનો નથી. તારી ચાલને-શબ્દને-રમતને-તને-સર્વને-હું સારી રીતે જાણું છું.” બુદ્ધ કહે છે, “હું તો મને જ ઓળખતો નથી. હું મારાથી અજ્ઞાત