________________
(૬૩)
આમ, જે વ્યક્તિ પદાર્થ, વસ્તુ, દ્રવ્ય, પરિસ્થિતિ કે ગ્રહો, તારા, નક્ષત્ર, નિહારિકાઓનો પરીક્ષક કે નિરીક્ષક (observer) છે તે કોણ છે? નિરીક્ષક કોણ? દષ્ટા કોણ? સર્વનો જ્ઞાતા છે કોણ? તેનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી તે દષ્ટા કે શાતાએ એન્ન કરેલું mતનું જ્ઞાન કદી યથાર્થ નહીં હોય. આપણી કેળવણીમાં પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા કે તર્ક દ્વારા પરોક્ષ અનુભવનું જ જ્ઞાન અપાય છે. વિચારક, મુમુક્ષુ અને વૈજ્ઞાનિકમાં મોટો તફાવત એ જ છે કે એક વ્યક્તિ માટે જીવનની તમામ ઘટના તેની બહાર જગતમાં બને છે અને પોતે દૂરથી નિરીક્ષણ-પરીક્ષણ કરે છે તે વૈજ્ઞાનિક છે. જયારે આત્મવિચાર કરનાર માટે ઘટના જે કંઈ ઘટે છે તે આંતરિક છે અને તે સદા દષ્ટા, જ્ઞાતા અને સર્વ ઘટનાનો સાક્ષી હું છું કોણ? તેમ વિચારે છે. પોતે પોતાને સમજે છે અને પછી જ જગત સાથેનો પોતાનો રિતો, નાતો, સંબંધ તે નકકી કરે છે. “સ્વ”ના જ્ઞાનથી, હું કોણ? તેવા વિચારથી તે જીવ, જગત અને ઈશ્વરની વણઊકલી સમસ્યાને ઉકેલી શકે છે. પણ વૈજ્ઞાનિકને કદી પરમાત્મા મળવાનો નથી, કારણ કે તે પોતાની બહાર, પોતાથી ભિન્ન, દૂર ઊભો રહી પરમાત્માનું નિરીક્ષણ કરવાની અપેક્ષા રાખે છે. આઈન્સ્ટાઈન સાચું જ કહી ગયો કે “મેં દૂરના તારા શોધ્યા; તેમનું અંતર શોધી કાઢયું,ગ્રહો ગયા; પણ તે સૌનો શોધક કોણ તે હું શોધી શક્યો નથી. એક વાર તેમનાં પત્નીને કોઈ પત્રકારે પૂછયું કે “તમારે તેમની શોધ માટે શું કહેવું છે?' તેમણે મંદ સ્મિત સાથે કહ્યું “આઈન્સ્ટાઈને શું શોધ્યું છે તેની મને ખબર નથી, પણ મેં તેને શોધી કાઢયો છે તેમાં બે મત નથી.”
જે પોતાની મુલાકાત ઈચ્છે પોતા દ્વારા તેણે અનેક વાર જાત વિશે શંકા ઉઠાવવી કે શું હું માત્ર ઈન્દ્રિય છું? કે જન્મનાર-મરનાર શરીર છું? જો શરીર છું, તો પુન:જન્મ લે છે કોણ? જે હું સૂક્ષ્મ શરીર છું તો તેને ગર્ભમાં જવા પ્રેરે છે કોણ? જો નિત્ય ચૈતન્યમય આત્મા પ્રેરે છે તો કઈ રીતે? સત્તા અને ચૈતન્ય પ્રદાન કરી જે પ્રેરે છે તો તે આત્મા પોતે કેવો છે?
મારા જેવો. તો હું કેવો છું ?