________________
લાળથી જ તાર ઉત્પન્ન કરે છે, જાળું બનાવે છે અને ઇચ્છે ત્યારે તાર ગળી જઈ જાળાનું વિસર્જન પણ કરે છે તેમ ઈશ્વરે માયા પોતાની અંદરથી પેદા કરી અને તે માયા દ્વારા ક્વતની રચના કરી છે.
છે તેવું જ હોય તો માયા અને ઈશ્વર બે ભિન્ન થયા કે નહીં? ના-ના, તે બન્ને અભિન્ન છે.
જેમ સૂર્ય અને તેનો પ્રકાશ બે કહેવાય પણ સૂર્યને પ્રકાશથી છૂટો ન પડાય અને સૂર્ય વિનાનો પ્રકાશ હોઈ શકે નહીં, પ્રકાશ વિનાનો સૂર્ય પણ હોઈ શકે નહીં. જેમ અગ્નિ અને તેની ગરમી, નર્તકી અને નૃત્ય, ચંદ્ર અને ચાંદની અભિન્ન છે તેવી જ રીતે ઈશ્વર અને માયા એક અને અભિન્ન છે. તેથી જ તો ઈશ્વરને અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહેવાય છે.
એટલે ઈશ્વર જ કર્તા અને કારણ છે mતનો? હા, તેમ જ છે. તો આટલા મોટા જગતમાં તે ક્યાં છુપાયો છે? અરે ભાઈ! તે જાહેરમાં બધું જ છુપાયો છે. થોડી ચોખવટ કરશો?
જેમ ઘડાનું કારણ માટી, વસ્ત્રનું રૂ અને દાગીનાનું કારણ સોનું છે તેમ તમામ નામ અને આકારનું કારણ ઈશ્વર છે. હવે તમે જ જવાબ આપો કે ઘડામાં માટી ક્યાં?
કેવો પ્રશ્ન! જ્યાં જ્યાં ઘડો ત્યાં ત્યાં માટી. માટી ઘડાથી કેટલી દૂર છે?
કેવી હાસ્યાસ્પદ વાત કરો છો? માટી પોતે જ ઘડો બની ગઈ પછી વળી તે દૂર કઈ રીતે થાય?
હવે સમજવા, તમારી સમજ પાકી છે. જેમ માટી જ ઘડો થઈ ગઈ અર્થાતું કારણ જ કાર્ય બની ગયું તેમ ઈશ્વર પોતે જ કારણ છે-તે કાર્ય બની ગયો છે. અને જેમ માટી ઘડાથી દૂર નથી- ભિન્ન નથી; બલકે જયાં જ્યાં ઘડો છે ત્યાં ત્યાં માટી છે, બસ તેમ જ.
બીજ અને વૃક્ષ દેખાય જુાં પણ એક છે. બીજ જ વૃક્ષ બને,