________________
(૬૭)
ભગવાન શ્રીકૃષ્ણ પણ તેવો જ પોકાર કરે છે.
बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम्।७-१० હે પાર્થ, તું જાણે કે હું જ સર્વ ભૂતોનું સનાતન કારણ છું.
આમ હું કોણ? તેવા વિચારથી જ ચિંતનની શરૂઆત થાય તો અને સમજાય કે જીવ, mત અને ઈશ્વર એક છે, પણ નામ જુદાં
હું તો ભ્રાંતિમાં રહ્યો કે મને ઉત્તર મળી ગયો કે હું કોણ છું! કેમ શું થયું?
નવો પ્રશ્ન થયો કે જીવ, mત અને ઈશ્વર એક છે તેવું કહેનાર હું કોણ?
તમે, ત્રણેના સાક્ષી, ત્રણેથી જુદા છો તે. અર્થાત્ હું ત્રિપુટીમાંથી એક પણ નહીં? ના, તમે ત્રણેનું અધિષ્ઠાન છો. એટલે હું જ પરબ્રહ્મ કે આત્મા છું તેમ જ ને! હા, તેમ જ. તો હું બ્રહ્મ જગતનું કારણ ને! હા, તમે બ્રહ્મ જ સર્વનું કારણ છો. તો બ્રહ્મસ્વરૂપ મુજથી જ જગત ઉત્પન્ન થયું? તદન ખોટી વાત. એટલે હું ઝૂતનું કારણ નથી?
બ્રહ્મ તરીકે તમે કારણ જરૂર છો, પણ સમજી લો તમે કે બ્રહ્મ ગતનું વિવર્ત (ભ્રાંતિરૂપ) ઉપાદાન કારણ છો.
કૃપા કરી સ્પષ્ટ કરશો?
બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું નથી, પણ અહમાં જગત વિવર્તરૂપે ભાસે છે.
તો પછી સૃષ્ટિનું ઉપાદાન છે ક્યાં?