________________
માટે તેઓ ગર્જના કરી વિવેક ચૂડામણિમાં પડકાર કરે છે કે
___चित्तस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये।
वस्तुसिद्धिर्विचारेण न किंचित्कर्मकोटिभिः ॥११॥ કર્મ ચિત્તની શુદ્ધિ માટે જ છે; તત્ત્વજ્ઞાન માટે નથી - તત્ત્વજ્ઞાન તો વિચારથી જ થાય છે; કરોડો કમથી કાંઇ થતું નથી.
| વિચારનું સ્વરૂપ હવે પછી શ્લોક ૧૨થી ૧૬ સુધી વિચારની પ્રક્રિયા અથવા પદ્ધતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વિચારનું મહત્ત્વ ચચ હવે યથાર્થ વિચાર કેમ કરવો તે કમબદ્ધ સમજાવવામાં આવે છે.
कोऽहं कथमिदं जातं, को वै कर्ताऽस्य विद्यते।
૩૫લનું વિમસ્તીદ, વિવાદ:ોડયમીદશ: III મામ્ = હું કોણ?
મ્ થ નાતમ્ = આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? વૈ અરે મરસ અ વિદતે આ જ્વતનો કર્તા કોણ? (ચ નાત:) ૩૫લાનમ્ વિમ્ મતિ આ જગતનું ઉપાદાન કારણ શું છે? (કોણ છે?) : અય : વિર: આવા પ્રકારનો વિચાર તે જ વિચાર છે.
ગતમાં જ્યાં જયાં, જે કોઈ વિદ્યાશાખા કે મહાવિદ્યાલયમાં, યુનિવર્સિટી કે રીસર્ચ ઈન્સ્ટિટયુટમાં, સંશોધન-કેન્દ્રમાં જે અભ્યાસ થાય છે, જે પ્રયોગ -એક્સપરિમેન્ટ થાય છે, જે નિરીક્ષણ- ઓબ્ઝર્વેશન થાય છે, ત્યાં દરેક સ્થળે અભ્યાસનો વિષય અને અભ્યાસી, નિરીક્ષણનો પદાર્થ અને નિરીક્ષક બન્ને જુદા છે, એકબીજાથી ભિન્ન છે, એકબીજાથી દૂર છે. દૂર રહ્યા રહ્યા તારા અને ગ્રહો દેખાય અને પ્રયોગશાળામાં પણ પ્રયોગનું નિરીક્ષણ અને પરીક્ષણ થોડે દૂરથી જ થાય છે, ભલે તે બે ટકે બે ઈંચનું અંતર હોય.