________________
(૬૦) આમ વિચાર તો વ્યષ્ટિને પોતામાં જ સમષ્ટિનું દર્શન કરાવવાની તાકાત રાખે છે અને મૃત્યુથી અમરતા સુધી પહોંચાડવાની ખાત રાખે છે; જે વિચારની કળા આવડે તો.
“મોતની તાકત શું મા શકે? જિંદગી! તારો ઇશારો જોઈએ .
જેટલે ઊંચે જવું હો માનવી તેટલા ઉન્નત વિચારો જોઈએ.”
વિચાર એ જ આપણા સાચા માર્ગદર્શક છે. જે વેદનનાં વાક્યોનો વિચાર કરતાં આવડે-મહાવાક્યોનું ચિંતન કરતાં આવડે તો કોઈ સાથે કે સહારા વિના બંધનની ભ્રાંતિથી મુક્ત થઈ શકાય અને મુક્તિના અમૃતનું પાન કરી શકાય.
“વિચારો એ જ તારી જિંદગીના સુકાની છે. વિચારીને વિચારોમાં અમર રહેતી પ્રભા લેજે.”
– “સગીર' સાધક અને મુમુક્ષુ માટે વિચાર જેવું બીજું કોઇ જ સાધન નથી. વિરુદ્ધ દિશામાં ચાલવારૂપી વિચાર કરવો તે જ પોતે પોતા પર કરેલું આક્રમણ છે. આમક થયા વિના પોતા પણ આહમણ કરવું તે જ પ્રતિકમણ છે. શત્રુ પોતાની અંદર જ છે-રાગ, દ્વેષ, લોભ, મોહ, મમત્વ, કત્વ, ભોકતત્વ અને શત્રુનો સેનાપતિ અહં આ સૌને માત કરવાની શક્તિ વિચારમાં છે. વિચારથી તેઓ વિના યુદ્ધ પડી જવાના.
શ્રી રમણ મહર્ષિ પોતાની અપરોક્ષ અનુભૂતિને વાચા આપતાં જણાવે છે કે, “અહંકાર આવે છે કયાંથી?” તેવો વિચાર કરવાથી અગર અહંકારના કારણનો વિચાર કરવાથી અહંકાર નાશ પામે છે. આ જ વિચારમાર્ગ
अहमयं कुतो भवति चिन्वतः। આ િપતાં નિર્વિવારણ II ઉદેશ સારમું - ૧લા આવા વિરુદ્ધ દિશાના વિચારને, આત્મવિચારને, સ્વરૂપના વિચારને, કારણના વિચારને જ શ્રી રમણ મહર્ષિ સેલ્ફ ઈન્કવાયરી અથવા સ્વ-સંશોધન કહે